Western Times News

Gujarati News

પહલગામ હૂમલાનાં સૂત્રધાર સાથે પાકિસ્તાનના વડાપ્રધાનના સાથીદાર મંચ પર સાથે બેઠા

પહેલગામ હુમલાના માસ્‍ટરમાઇન્‍ડ સૈફુલ્લાહ કસુરીએ પણ આ રેલીમાં ભાગ લીધો હતો. -ભારત વિરૂધ્‍ધ ઝેર ઓકયું: ત્રાસવાદીઓને સમર્થન

ઇસ્‍લામાબાદ, પાકિસ્‍તાન તેની જમીન પર આતંકવાદીઓને આશ્રય આપી રહ્યું છે પરંતુ ઓપરેશન સિંદૂર પછી પાકિસ્‍તાની સરકાર અને આતંકવાદીઓ વચ્‍ચેનો સૂક્ષ્મ તફાવત દૂર થઈ રહ્યો છે. પાકિસ્‍તાની નેતાઓ હવે ખુલ્લેઆમ આતંકવાદીઓ સાથે ઉભા રહેતા અને આતંકવાદીઓની રેલીમાં જોડાતા જોવા મળે છે.

#PahalgamTerroristAttack mastermind Saifullah Kasuri seen at a public rally with Punjab Assembly Speaker Malik Ahmed Khan & Talha Saeed (son of Hafiz Saeed).

વડા પ્રધાન શાહબાઝ શરીફના નજીકના સહયોગી અને પાકિસ્‍તાની પંજાબ પ્રાંતના એસેમ્‍બલી સ્‍પીકર મલિક અહેમદ ખાને હવે લશ્‍કર-એ-તૈયબાના ડેપ્‍યુટી ચીફ સૈફુલ્લાહ કસુરી સાથે રેલીમાં ભાગ લીધો છે અને ખુલ્લેઆમ તેને ટેકો આપ્‍યો છે. લશ્‍કરના આતંકવાદી સૈફુલ્લાહ કસુરીએ ૨૨ એપ્રિલે પહેલગામમાં આતંકવાદી હુમલાનું કાવતરું ઘડ્‍યું હતું, જેમાં ૨૬ નાગરિકો માર્યા ગયા હતા.

પાકિસ્‍તાની પંજાબ પ્રાંત વિધાનસભાના સ્‍પીકર મલિક અહેમદ ખાને અમેરિકા દ્વારા નિયુક્‍ત આતંકવાદી અને લશ્‍કરના વડા હાફિઝ સઈદના પુત્ર તલ્‍હા સઈદ સાથે રેલીમાં ભાગ લીધો હતો. પહેલગામ હુમલાના માસ્‍ટરમાઇન્‍ડ સૈફુલ્લાહ કસુરીએ પણ આ રેલીમાં ભાગ લીધો હતો. જ્‍યારે પત્રકારોએ મલિકને સૈફુલ્લાહ કસુરી વિશે પૂછયું, ત્‍યારે તેમણે કહ્યું કે તપાસ વિના કસૂરીને આરોપી તરીકે ન જોવો જોઈએ. તેમણે ગર્વથી કસુરી સાથેના પોતાના અંગત સંબંધો વિશે જણાવ્‍યું.

લશ્‍કર-એ-તૈયબાના ડેપ્‍યુટી ચીફ સૈફુલ્લાહ કસુરી સુરક્ષા કર્મચારીઓની એક ટીમ સાથે M4 કાર્બાઇન લઈને રેલીમાં પહોંચ્‍યા. અફઘાનિસ્‍તાન છોડતી વખતે અમેરિકન સેના દ્વારા પ્‍૪ કાર્બાઇન હથિયાર છોડી દેવામાં આવ્‍યું હતું. તાજેતરના સમયમાં, આ શષાોનો ઉપયોગ જમ્‍મુ અને કાશ્‍મીરમાં આતંકવાદી હુમલાઓમાં કરવામાં આવ્‍યો છે.

જ્‍યારે કસૂરીએ ૨૮ મેના રોજ આયોજિત રેલીમાં પહોંચ્‍યો, ત્‍યારે તેમનું ભારત પર વિજેતા તરીકે સ્‍વાગત કરવામાં આવ્‍યું.આ જ રેલીને સંબોધિત કરતી વખતે, લશ્‍કરના આતંકવાદીઓએ બાંગ્‍લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાના બળવામાં પણ ભૂમિકા હોવાનો દાવો કર્યો હતો, જેના કારણે તેમને ભાગીને ભારતમાં આશ્રય લેવો પડ્‍યો હતો. અમેરિકા દ્વારા જાહેર કરાયેલા આતંકવાદી મુઝમ્‍મિલ હાશ્‍મી અને કસુરીએ રેલી દરમિયાન બળવામાં ભૂમિકાનો શ્રેય લીધો

અને કહ્યું કે ગયા વર્ષે અમે બાંગ્‍લાદેશમાં તમારી સામે જીત્‍યા હતા.હાશ્‍મીએ રેલી દરમિયાન ભારતીય વડા પ્રધાન નરેન્‍દ્ર મોદી વિરુદ્ધ ઝેર ઓકયું. તેમણે કહ્યું, તમે અમને તમારી ગોળીથી ડરાવો છો, મોદી અમે તમને સંદેશ આપીએ છીએ, અમારા બાળકો તમારી મિસાઇલોથી ડરતા નથી, અમે તમારી ગોળીથી કેમ ડરીશું? તે જ અઠવાડિયામાં બીજી રેલીમાં, કસુરીએ ૧૯૭૧ ના બાંગ્‍લાદેશ મુક્‍તિ યુદ્ધ અને તાજેતરની ઘટનાઓ વચ્‍ચે સમાનતા દર્શાવતા કહ્યું કે તેમના જૂથે ભૂતકાળની હારનો બદલો લીધો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.