નડિયાદ કોર્પોરેશનમાં ફરજ બજાવતા સફાઈ કામદારોએ આ કારણસર સુત્રોચ્ચારો કર્યા

૧૮૦ કર્મચારીઓને આઉટ સોસિંગ -તબદીલ કરવા એજન્સીને કોન્ટ્રાક્ટ આપી દેતા કર્મચારીઓમાં ભારે રોષ
(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદ નગરપાલિકામાં સન ૨૦૧૪ થી ૧૧ મહિનાના કરાર આધારિત ભરતી પામેલા ૧૮૦ સફાઈ કામદારો ની પાલિકા તંત્ર કાયમી કરે તેવી છેલ્લા ઘણા સમયથી માંગ હતી અને આ બાબતે સન ૨૦૨૨માં ઠરાવ પણ થયો હતો અને મ્યુનિસિપાલટી કમિશનરને જે તે વખતે આ કર્મચારીઓને કરારમાંથી દૂર કરીને કાયમી કર્મચારીની નિમણૂક બાબતની ફાઈલ પણ નડિયાદ પાલિકાએ મોકલી હતી પરંતુ કેટલીક પૂર્તતા બાકી હોય આ ફાઈલ હાલમાં ત્યાં પેન્ટિંગ છે
ત્યારે બીજી બાજુ મહાનગરપાલિકા બની જતા હાલમાં આવા ૧૮૦ કર્મચારીઓને આઉટ સોસિંગ તબદીલ કરવા એજન્સીને કોન્ટ્રાક્ટ આપી દેતા આવા કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળે છે બે દિવસથી ૧૮૦ કર્મચારીઓ કામ બંધ કરી દેતા હાલમાં નડિયાદમાં ગંદકી દેખાઈ રહી છે તો બીજી બાજુ આવા કર્મચારીઓ કાયદાકીય લડત આપવા માટે સજ બન્યા છે
ખેડા જિલ્લા માં આવેલ અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ દ્વારા નડિયાદ મહાનગરપાલિકાના વહીવટદારને લેખિતમાં કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે જ્યારે નડિયાદ નગરપાલીકા હતી તે સમયે તારીખ ૨૦ /૧૦/ ૨૦૨૪ ના રોજ ઠરાવ નંબર ૨૩ થી સફાઈ કામદારોના વારસદારોને ૧૧ મહિનાના કરાથી ૧૮૦ વ્યક્તિઓને સફાઈ કામદાર તરીકે લેવામાં આવ્યા હતા જેથી ૧૮૦ સફાઈ કામદારો નડિયાદ નગરપાલિકામાં સફાઈની કામગીરી કરતા હતા
આ કર્મચારીઓને નડિયાદ મહાનગરપાલિકા આપવાની બદલે તારીખ ૧ ૬ ૨૫ થી આઉટ સોસીગ થી તબદિલ કરવાની ઈલચાલ થઈ રહી છે તે તાત્કાલિક બંધ કરીને સરકારના ધારા ધોરણ મુજબ કાયદેસરના કર્મચારીઓને કાયમી ધોરણે નિમણૂક આપવા અમારી માંગણી છે
બીજી બાજુ આજે ખેડા જિલ્લા શ્રમિક સેવા સંઘ દ્વારા પણ નડિયાદ મહાનગરપાલિકાના કમિશનરને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં દર્શાવ્યું છે કે હાલ મહાનગરપાલીકા બની ત્યા સુધી આ તમામ કામદારો પોતાની ફરજ અદા કરી રહ્યા છે. આ સાથે મજુર કાયદાની જોગવાઈઓ મુજબ આ તમામ કામદારોના ૨૪૦ દિવસ પૂર્ણ થાય છે. અને ભારતની સર્વચ્ચ અદાલત ધ્વારા આવા કર્મચારીઓને કાયમી કરવા માટે ઘણા ચુકાદાઓ આપેલ છે.
જેથી હાલમા મહાનગરપાલીકા દ્વારા આવા કર્મચારીઓને કાયમી કરી તેઓને કાયમી મળવા પાત્ર લાભો નહી આપવાના કારણે અને આવા કર્મચારીઓને તેઓના કાયદેસરના મળવાપાત્ર કાયમી લાભોથી વંચીત રાખવા માટે મહાનગરપાલીકા ધ્વારા કોઈપણ જાતના મજુર કાયદાની પરવાહ કર્યા વગર આવા સફાઈ કામદારોને તેમની નોકરીઓની શરતોમાં ફેરફાર કરી નોટીસ આપ્યા વીના સીધા આઉટ સોસીંગમા તબદીલ કર્યા છે.
આ માટે એજન્સીનું ટેન્ડર કે જાહેરાત પાડયા વીના અલટ્રામોર્ડન એજન્સીને કોન્ટ્રકટ આપી દરેક સેનેટરીને વોર્ડ ખાતે આવી એજન્સીના ફોર્મ મોકલાવી સફાઈ કામદારોને તે ફોર્મ ભરવા માટે દબાણ કરી મહાનગરપાલીકા સફાઈ કામદારો સાથે અન્યાય કરેલ હોવાનું જણાવ્યું છે.