Western Times News

Gujarati News

પાલનપુરમાં જર્જરિત ઈમારતો ઉતારી લેવા નોટિસ અપાઈ

મોટા ભાગના જર્જરિત મકાનોમાં ભાડુઆતોનો વસવાટઃ પાલિકાની ટીમે વિવિધ વિસ્તારનું નિરિક્ષણ કર્યું

પાલનપુર, પાલનપુર શહેરમાં વિવિધ વિસ્તારોમાં આવેલી જર્જરિત ઈમારતો જેમાં ફલેટ, શોપિંગ સેન્ટરો, જુના મકાન જે જોખમકારક છે. રાહદારીઓ તેમજ આસપાસના લોકોને નુકસાન પહોંચાડી શકે એવી ઈમારતો મિલત ધારકોના નામે છે.

પાલિકાના મુખ્ય અધિકારી અને તેમની ટીમે બે દિવસ અગાઉ વિવિધ વિસ્તારમાં જુના અને જર્જરિત મકાનોનું નિરીક્ષણ કરાયા બાદ જોખમી ભાગ ઉતારી દેવા માટે ડી.પી. શાખામાં સૂચના આપતા આ ટીમ રામજી મંદિરની સામેના ભાગે આવેલા જુના જર્જરિત મકાનો તેમજ વેરાઈ માતા નજીક આવેલી ઈમારતો ત્રણ દિવસમાં ઉતારી દેવાની નોટિસ અપાઈ હતી.

પાલનપુરમાં અનેક વિસ્તારમાં વર્ષોથી જર્જરીત મકાનો જોવા મળી રહ્યા છે જેમાં કેટલાક મકાનો માલિકો લગભગ ૭૦ વર્ષથી ઉપરાંત ધંધાકીય સુરત, મુંબઈ, વિદેશમાં સ્થાયી થયા છે. ખાસ કરીને જૈન પરિવારો વધારે છે તેમના શોપિંગ સેન્ટરોમાં અનેક દુકાનોમાં ભાડુઆત છે.

આવો વિસ્તાર ખોડાલીમડા, પથ્થર સડક, નાની બજાર એવા અનેક વિસ્તારો છે જેમાં બે દિવસ અગાઉ પાલિકાના ચીફ ઓફિસર તેમજ તેમનો અન્ય સ્ટાફ શહેરના પથ્થર વિસ્તારમાં જુના બિલ્ડીંગોનું નિરીક્ષણ કર્યું હતું

ત્યારબાદ ડી.પી. શાખા દ્વારા રિપોર્ટ તૈયાર કરી નોટિસો આપવાનું જણાવતા જેમાં પાલિકાના નિકુલ ત્રિવેદી, પ્રકાશ મંડોરા, રામજી મંદિર સામે પથ્થર સડક, વેરાઈ માતા નજીક આસપાસ વિસ્તારમાં ત્રણથી વધુ બિલ્ડીંગો નોટિસો આપી હતી. શહેરમાં ૧પથી વધુ નોટિસો આપી જર્જરીત ઈમારતો ઉતારવાની ઝુંબેશ ચાલુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.