આમિરે ગૌરી સ્પ્રત્ત સાથેના સંબંધ અંગે ખુલાસો કર્યાે

ઇન્ટરવ્યુમાં આમિરે કહ્યું,“હું ગૌરીને મળ્યો એ પહેલાં મને લાગતું હતું હું હવે ઘરડો થઈ ગયો છું હવે આ ઉંમરે મને કોઈ કઈ રીતે મળે
હું અને ગૌરી મળ્યાં તો ભુલથી… અને એકબીજા સાથે જોડાઈ ગયાં
મુંબઈ,આમિર ખાને તેના ૬૦મા જન્મ દિવસે ગૌરી સ્પ્રત્ત સાથેના સંબંધો જાહેર કર્યાં હતાં. પરંતુ એ બહુ ઓછા લોકો જાણતાં હતાં કે તેઓ બંને અનાયાસે જ મળી ગયાં હતાં. તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુમાં આમિરે કહ્યું કે ગૌરીને મળ્યો તે પહેલાં તેને એવું લાગતું હતું કે આ ઉમરે હવે તેને કોઈ પાર્ટનર ન મળી શકે. ઇન્ટરવ્યુમાં આમિરે કહ્યું,“હું ગૌરીને મળ્યો એ પહેલાં મને લાગતું હતું હું હવે ઘરડો થઈ ગયો છું હવે આ ઉંમરે મને કોઈ કઈ રીતે મળે. એ ઉપરાંત મારી થેરાપી પણ ચાલતી હતી અને મને સમજાયું હતું કે મારે પહેલાં મારી જાતને પ્રેમ કરવો પડશે અને મારી જાતને તંદુરસ્ત કરવી પડશે.
તેથી હું એ કામે લાગી ગયો હતો.”આમિરે તેની પૂર્વ પત્નીઓ રીના દત્તા અને કિરણ રાવ સાથેના સંબંધો અંગે પણ વાત કરી હતી. આમિરે કહ્યું,“મારે કિરણ અને રીના સાથે બે બહુ મજબુત અને ઊંડા સંબંધો હતા, અમે હવે અલગ ભલે હોય તેમ છતાં એકબીજાને માન આપીએ છીએ. મને નહોતું લાગતું કે મને કોઈ એવું મળશે, જેની સાથે મારો આવો નાતો બંધાઈ જશે.”ગૌરી સાથેની પહેલી મુલાકાત યાદ કરતા આમિરે કહ્યું,“ગૌરી અને હું ભુલથી મળી ગયાં હતાં અને અમે એકબીજાના મિત્રો બની ગયાં અને એકબીજા સાથે જોડાઈ ગયાં અને પ્રેમ થઈ ગયો.
મને લાગતું હતું, મારી પાસે મા છે, બાળકો છે, ભાઈ-બહેન છે – મારે ઘણા નજીકના અને મજબુત સંબંધો છે અને મારે હવે કોઈ પાર્ટનરની જરૂર નથી.”આમિરે આ સાથે તેની પૂર્વપત્નીઓ વિશે પણ વાત કરી હતી. તેણે કહ્યું,“રીના, કિરણ અને હું હજુ પણ પાની ફાઉન્ડેશન માટે સાથે કામ કરીએ છીએ. અમે દરરોજ સાથે બેસીને વાત કરીએ છીએ. અમારી વચ્ચે ખરો પ્રેમ અને હુંફ છે, અમે એક પરિવાર છીએ અને એ હંમેશા રહેવાનાં છીએ. અમે ભલે પતિ-પત્ની ન હોય, પરંતુ પરિવાર હંમેશા રહેવાના છીએ. મારા પરિવાર અને જીવનનો એક અડગ હિસ્સો છે.”