Western Times News

Gujarati News

BJ મેડીકલ કૉલેજના કસોટી ભવનમાં પરિવારનાં સભ્યોના DNA સેમ્પલ લેવાની વ્યવસ્થા શરૂ કરાઇ

મૃતકોના  નજીકના સગા માતા-પિતા અને બાળકોના DNA સેમ્પલ થી ઓળખ કરાશે

Ahmedabad, અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મત્યુ પામેલા લોકોની ઓળખ થઈ શકે એ ઉદ્દેશ સાથે રાજ્ય સરકારે અમદાવાદની બીજે મેડીકલ કોલેજમાં આવેલા કસોટી ભવન ખાતે પરિવારના સભ્યો જેમ કે માતા – પિતાભાઈ બહેનનું લોહીનું સેમ્પલ લેવામાં આવી રહ્યું છેત્યારબાદ ડીએનએ ટેસ્ટની શરુઆત કરાઇ છે.

કસોટી ભવન ખાતે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલાના  પરિવારના સભ્યોનું બ્લડ સેમ્પલ લીધા બાદ ડીએનએ ટેસ્ટ માટે તેને ફોરેન્સિક લેબ ગાંધીનગર ખાતે મોકલવામાં આવશે અને ત્યારબાદ તેનો રિપોર્ટ આપવામાં આવશે.

બીજી બાજુ વિમાન દુઘર્ટનામાં મૃત્યુ પામેલા લોકોનો પણ ડી.એન.એ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. ડીએનએનો  ફોરેન્સિક ગાંધીનગરથી રિપોર્ટ આવ્યા બાદ બંને ડીએનએ ટેસ્ટના મેચ બાદ દર્દીની ઓળખ થકી તેના પરિવારને ડેડબોડી આપવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.