કિપ ઈન્ફ્રા. લિ.ના ચાર ડાયરેકટરની ૩૦ લોકો સાથે રૂ.૧.૩૭ કરોડ ઠગાઈ

પ્રતિકાત્મક
નવરંગપુરાની કંપનીએ લોભામણી સ્કીમોથી છેતર્યા
(એજન્સી)અમદાવાદ, નવરંગપુરામાં ચાર શખ્સોએ કિપ ઈન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડ નામની કંપની ખોલીને ઈન્વેસ્ટમેન્ટની લોભામણી સ્કીમો બહાર પાડીને એજન્ટો સહિત ૩૦ જેટલા ગ્રાહકો પાસેથી ૧.૩૭ કરોડ રૂપિયા ઉઘરાવ્યા હતા. આ કંપનીએ વર્ષ ર૦૧૪થી લઈને ર૦૧૮માં અનેક લોકો પાસેથી રૂપિયા પડાવ્યા છે.
વર્ષ ર૦૧૮માં રોકાણ કરેલ રૂપિયિા લોકો ઓફિસે લેવા જતા જાણ થઈ કે, ચારેય ડાયરેકટરો ઓફિસ બંધ કરીને ફરાર થઈ ગયા છે. આ અંગે એજન્ટે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ચારેય ડાયરેકટરો સામે ઠગાઈની ફરિયાદ નોંધાઈ છે. થલતેજમાં રહેતા ચિરાગ જોષી ઈન્સ્યોરન્સ એજન્ટ તરીકે કામ કરે છે.
તેઓને વર્ષ ર૦૧૪ પહેલાં સૌરભ પરીખ સાથે મુલાકાત થઈ હતી જેના પગલે સૌરભ, પ્રકાશ પ્રજાપતિ, વિક્રમસિંહ તોમર અને પરિક્ષિત પટેલ ચારેય ભેગા મળીને કીપ ઈન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડ નામથી કંપની ખોલી હતી. આ બાદ ચારેયે ઈન્વેસ્ટમેન્ટ અંગેની અલગ અલગ સ્કીમો બહાર પાડી હતી જેમાં વર્ષમાં પૈસા ડબલ, ૬.પ વર્ષની એફડી કરાવો તો પૈસા અઢી ગણા મળશે. આ ઉપરાંત, રિકરિંગની જુદી જુદી સ્કીમમાં ૧૧ મહિને મૂડીના ૧ ટકા વ્યાજ માસિક પેટે આપીશ તેવી લાલચ આપી હતી.
જેના પગલે ચિરાગભાઈ વર્ષ ર૦૧૪માં સૌરભને તેની ઓફિસ પર મળવા ગયા હતા ત્યારે સૌરભે ચિરાગભાઈને કહ્યું કે, તમે અમને ગ્રાહક લાવી આપીશું જે બાદ ચિરાગભાઈએ પોતે જ ર.પ૦ લાખની એફડીની સ્કીમમાં રોકાણ કર્યું હતું જ્યારે ચિરાગભાઈએ ગ્રાહકોના ૩૧.૪૮ લાખનું રોકાણ સૌરભની કંપનીમાં કરાવ્યું હતું.
આવી રીતે ચિરાગભાઈએ ૩૩.૯૮ લાખ, રેખાબેન ૮૬.૧૬ લાખ, હિરેન જાનીએ ૭ લાખ અને હિમાંશુ સિંદુરિયાનું ૧૦.૬૮ લાખ એમ કુલ ૧.૩૮ કરોડ રોકાણ કિપ ઈન્ફ્રાસ્ટ્રકચર કંપનીમાં કર્યું હતું. વર્ષ ર૦૧૮માં મુદ્દત પાકતા એજન્ટો અને લોકો ત્યાં રૂપિયા લેવા ગયા ત્યારે તેમણે જાણ થઈ કે, કંપનીના ચારેય ડાયરેકટરો ઓફિસ બંધ કરીને ફરાર થઈ ગયા છે.