ડબલ મર્ડરના આરોપીને સળંગ બે વાર આજીવન કેદ આપી શકાય ?

સુપ્રિમ કોર્ટ દ્વારા નિર્ણય લેવાશે
હાઈકોર્ટે આઈપીસીની કલમ ૩૦૨ હેઠળ હત્યાના ગુના માટે દોષિતને બે વાર આજીવન કેદની સજા ફટકારી હતી
નવી દિલ્હી,સુપ્રીમ કોર્ટે હત્યાના ગુના માટે બે વાર દોષિત ઠરેલા વ્યક્તિને બે વાર સળંગ આજીવન કેદની સજા આપી શકાય કે નહી તે કાનૂની મુદ્દાની ચકાસણી કરવા ગુરુવારે સંમત થઈ હતી. ૨૦૧૦ના ડબલ મર્ડર કેસમાં પંજાબ એન્ડ હરિયાણા હાઈકોર્ટના ૨૦૧૫ના ચુકાદાની પગલે થયેલી અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી રહી હતી ત્યારે આ મુદ્દો ઉભો થયો હતો.
ન્યાયાધીશ પ્રશાંત કુમાર મિશ્રા અને મનમોહનની બનેલી ખંડપીઠે જણાવ્યું હતું કે જુલાઈ ૨૦૧૬માં સર્વાેચ્ચ અદાલતની પાંચ ન્યાયાધીશોની બંધારણીય ખંડપીઠે ચુકાદો આપ્યો હતો કે બહુવિધ હત્યાઓ અથવા આજીવન કેદની સજાપાત્ર અન્ય ગુનાઓ માટે આજીવન કેદની અનેક સજાઓ આપી શપકાય છે, પરંતુ આવી સજાઓને સળંગ ચલાવવાનો આદેશ આપી શકાતો નથી.
સર્વાેચ્ચ અદાલતે જણાવ્યું હતું કે બંધારણીય ખંડપીઠના ચુકાદામાં કરાયેલા અવલોકનોને ધ્યાનમાં રાખીને કલમ ૩૦૨ (બે વાર) હેઠળ સજાપાત્ર ગુના માટે દોષિત ઠેરવવા બદલ સળંગ આજીવન કેદની સજા કાયદેસર છે કે નહીં તે નક્કી કરવાના પ્રશ્ન સુધી મર્યાદિત નોટિસ જારી કરો. તેનો જવાબ આઠ સપ્તાહમાં આપવાનો રહેશે.
પંજાબ એન્ડ હરિયાણા હાઈકોર્ટે આ કેસમાં એક વ્યક્તિને દોષિત ઠેરવતા ચુકાદાને માન્ય રાખ્યો હતો, પરંતુ ટ્રાયલ કોર્ટે કરેલા મૃત્યુદંડની પુષ્ટિ માટેના રેફરન્સને ફગાવી દીધો હતો. હાઈકોર્ટે આઈપીસીની કલમ ૩૦૨ હેઠળ હત્યાના ગુના માટે દોષિતને બે વાર આજીવન કેદની સજા ફટકારી હતી. હાઇકોર્ટે જણાવ્યું હતું કે આજીવન કેદ એ વ્યક્તિના કુદરતી જીવનના છેલ્લા શ્વાસ સુધી કેદની સજા છે અને તેથી બે આજીવન કેદની સજા અનાવશ્યક છે. SS1