રાજકોટમાં રાજકીય સન્માન સાથે અંતિમવિધિ કરવામાં આવશે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની

કેન્દ્રિય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયા, રાજયના મંત્રીઓ રૂષીકેશ પટેલ, હર્ષ સંઘવી, અન્ય પ્રધાનો, હાઇલેવલ અધીકારીઓ, સાંસદો, ધારાસભ્યો, ભાજપના પ્રદેશ અને દેશ લેવલના આગેવાનો બપોર બાદ રાજકોટ પહોંચશે.
Rajkot, અમદાવાદમાં ભયાનક પ્લેન દુર્ઘટનામાં રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા અન્ય 241 પ્રવાસીઓના કરૂણ મોત નિપજયા છે, રવિવારે DNA ટેસ્ટ બાદ સોમવારે સવારે ૧૧ વાગ્યે વિજયભાઇના પાર્થીવદેહને સંપુર્ણ માન-સન્માન સાથે પરિવારને સુપ્રત કરાયો હતો.
દરમિયાન સોમવારે સાંજે વિજયભાઇની પ વાગ્યે અંતિમયાત્રા તેમના નિવાસસ્થાનેથી નીકળશે, આખો રૂટ પોલીસ તંત્રે ફાઇનલ કરી જાહેર કર્યો છે. સ્વ. વિજયભાઇની અંતિમયાત્રામાં કેન્દ્રિય ગૃહમંત્રી શ્રી અમીતભાઇ શાહ, BSF ના વિમાનમાં બપોર પછી આવશે,
આ ઉપરાંત રાજયના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, રાજયપાલ આચાર્ય દેવવ્રતજી, કેન્દ્રિય જળ સંસાધન મંત્રી શ્રી સી. આર. પાટીલ બપોર બાદ આવશે, આ ઉપરાંત ગુજરાતના મંત્રીઓ સર્વશ્રી રૂષીકેશ પટેલ, શ્રી હર્ષ સંઘવી, તથા પ્રધાન મંડળ, અન્ય હાઇલેવલ અધીકારીઓ, પદાધીકારીઓ, સાંસદો, ધારાસભ્યો પણ બપોર બાદ આવી રહ્યા છે.
અધીકારી સુત્રોમાંથી મળતી વિગતો મુજબ કેન્દ્રિય ગૃહમંત્રી શ્રી અમીતભાઇ શાહ, રાજકોટ હિરાસર એરપોર્ટ પર બપોરે ૩-૪૦ વાગ્યે આવી પહોંચ્યા બાદ ૩-પ૦ કલાકે વિજયભાઇના ઘરે પહોંચશે.
તેઓ ૬-પ૦ વાગ્યે રામનાથપરા સ્મશાન ખાતે જનાર વિજયભાઇની અંતિમયાત્રામાં જોડાશે, અને ત્યાંથી તેઓ સીધા રાજકોટ એરપોર્ટ જવા રવાના થશે, શ્રી અમિતભાઇની સાથે કેન્દ્રના ગૃહખાતાના વિશેષ અધીકારી વિજયકુમાર ઉપાધ્યાય, તેમના પર્સનલ સચિવ શ્રી શીવનાથ મીશ્રા, CRPF ના એડીશ્નલ કમીશ્નર શ્રી આશીષ મીશ્રા, શ્રી અરૂણ પ્રતાપસિંહ, ફોટોગ્રાફર શ્રી વિશાલ તોમર, ANI ના શ્રી નીરજ પણ આવી રહ્યા છે.
આ ઉપરાંત બપોર બાદ રાજયના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી કેન્દ્રિય મંત્રી શ્રી સી. આર. પાટીલ, બપોરે ર-૪પ વાગ્યે સ્ટેટ એરક્રાફટ દ્વારા હિરાસર એરપોર્ટ પહોંચશે અને ત્યાંથી ૩-૪પ વાગ્યે તેઓ શ્રી વિજયભાઇ રૂપાણીના નિવાસ સ્થાને આવી પહોંચશે અને ૬-૩૦ વાગ્યે તેઓ સ્મશાન યાત્રામાં જોડાશે, અને સાંજે ૭-૧પ વાગ્યે હિરાસર એરપોર્ટથી ગાંધીનગર જવા રવાના થશે.
રાજકોટમાં અનેક મહાનુભાવો હોય કલેકટર તથા પોલીસ તંત્ર દ્વારા જડબેસલાક બંદોબસ્ત ગોઠવાયો છે, કલેકટર શ્રી પ્રભવ જોષીએ પ્રોટોકોલ અને અન્ય વ્યવસ્થા અંગે જુનું એરપોર્ટ, હિરાસર એરપોર્ટ, ગ્રીનલેન્ડ ચોકડી, વિજયભાઇના નિવાસસ્થાન, રામનાથપરા સ્મશાન તથા તમામ રૂટ અંગે તમામ પ્રાંત, ડે. કલેકટરો, મામલતદારો સહિત ૭પ૦નો સ્ટાફ કામે લગાડયો છે.
પૂર્વ CM વિજય રૂપાણીના નિધન પર રાજ્ય સરકાર તરફથી એક દિવસીય રાજકીય શોક જાહેર કરાયો જેમાં કાગવડ ખોડલધામ મંદિરના મુખ્ય દરવાજા પર પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો.
પૂર્વ સીએમ સ્વ.વિજય રૂપાણીના જમાઈ નિમિત મિશ્રા કહે છે, “આ સમય માત્ર અમારા માટે જ નહીં, પરંતુ એક સ્વજન ગુમાવનારા દરેક વ્યક્તિ માટે અત્યંત દુ:ખદ સમય છે. હું તે બધાનો આભાર માનું છું જેમણે અમને પોતાનો ટેકો આપ્યો છે … અમે, એક પરિવાર તરીકે, દરેક વ્યક્તિ વિશે વિચારી રહ્યા છીએ જેણે કોઈ પ્રિયજનને ગુમાવ્યો છે અને અમે તમારા દુ:ખને વહેંચવા માંગીએ છીએ. હું વડાપ્રધાન, ગૃહ મંત્રી, મુખ્યમંત્રી અને રાજ્યના તમામ અધિકારીઓનો આભાર માનું છું જે અમારી પીડામાં સહભાગી બન્યા..”
Gandhinagar | Rushabh Rupani, son of former CM late Vijay Rupani, says, ” This is a sad time not just for our family but also for the other 270 families. I thank the Police, Aarogya staff, Civil Defence, Fire Services and RSS workers for their rescue efforts during this incident, which, which are praiseworthy.
I also express gratitude to PM Modi, CM Bhupendra Patel and other leaders for supporting and standing with not just our family, but also all other families. My father touched many lives during the 50-55 years of his political life. Today, all those people are standing by us. Many party workers from Punjab are also coming here to express their condolences…”
શ્રી રૂપાણી તેમને BJP પક્ષે પંજાબના પ્રભારી તરીકે જવાબદારી સોંપી હતી અને હાલમાં લુધીયાણા વેસ્ટની ધારાસભા પેટાચુંટણીમાં તેઓ સક્રીય હતા તથા તેઓએ અહી કેમ્પ કરી ચુંટણી વ્યવસ્થા ગોઠવી હતી તથા પક્ષની જીત માટે પણ રાજકીય વ્યુહો ગોઠવ્યા હતા
જો કે તેઓનો લંડન પ્રવાસ અગાઉથીજ નિશ્ચિત હતો છતાં તેઓએ તે એક સપ્તાહ પાછળ ઠેલ્યો હતો અને તા.12ના રોજ લંડન જવા રવાના થવા માટે એરઈન્ડીયાની ફલાઈટ માટે બુકીંગ કરાવ્યુ હતું. પંજાબ ભાજપના પ્રમુખ શ્રી સુનિલ જાખકે કહ્યું કે વિજયભાઈના પંજાબના પ્રભારી તરીકે આગમન બાદ પક્ષને સંગઠનના નવા પાઠ ભણવા મળ્યા હતા.
ગુજરાતમાં જે રીતે ભાજપ અજેય છે તેવુંજ સંગઠન પંજાબમાં તેઓ ઉભુ કરવા માંગતા હતા. તેઓને તા.5ના જવાનુ હતું પણ અમારા આગ્રહથી શેડયુલ લંબાવ્યુ હતું પણ આ કમનસીબ ઘટના બની હતી.