સુરક્ષાના નિયમોનું કડકાઈથી પાલન કરવા નાગરિક ઉડ્ડયન મંત્રાલયનો આદેશ

ખરાબ હવામાનમાં ઉડાન કે નિયમોનો ભંગ કરવા સામે વો‹નગ
આ દુર્ઘટના બાદ ચાર ધામ યાત્રા માટે આર્યન એવિએશનની કામગીરી તાત્કાલિક સ્થગિત કરવામાં આવી હતી
નવી દિલ્હી,ઉત્તરાખંડના ગૌરીકુંડ વિસ્તારમાં થયેલી દુઃખદ હેલિકોપ્ટર દુર્ઘટનાને પગલે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે રવિવારે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)ને કેદારનાથ જેવા પર્વતીય અને સંવેદનશીલ વિસ્તારોમાં હેલિકોપ્ટર સેવા સંબંધિત તમામ સલામતી પ્રોટોકોલ લાગુ કરવા કડક સૂચનાઓ જારી કરી હતી. સલામતી સુનિશ્ચિત કરવા માટે ૧૫ અને ૧૬ જૂન માટે ઉત્તરાખંડમાં તમામ હેલિકોપ્ટર સેવાઓ સ્થગિત કરાઈ હતી. મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું હતું કે મુસાફરોની સલામતી પર કોઈ બાંધછોડ થઈ શકે નહીં.
કોઈપણ હેલિકોપ્ટર ઓપરેટરે અસુરક્ષિત હવામાનમાં ઉડાન ભરવી જોઈએ નહીં અથવા ઓપરેશનલ નિયમોનો ભંગ કરવો જોઈએ નહીં. ડીજીસીએને તમામ નિયમોનો કડક અમલ કરવા અને દરેક સ્તરે સલામતી અને શિસ્ત જાળવવાની સૂચના આપવામાં આવી છે, ખાસ કરીને યાત્રાધામ વિસ્તારોમાં જ્યાં જીવનનું જોખમ વધારે છે. ઉત્તરાખંડમાં દુર્ઘટનાગ્રસ્ત બનેલું હેલિકોપ્ટર આર્યન એવિએશનનું હતું અને ‘શ્રી કેદારનાથજી-ગુપ્તકાશી’ સેક્ટર પર કાર્યરત હતું.
વિમાનમાં પાંચ મુસાફરો, એક શિશુ અને એક ક્‰ મેમ્બર સવાર હતાં. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની બચાવ ટીમો ક્રેશ સ્થળ પર બચાવ કામગીરી હાથ ધરી હતી. ઉત્તરાખંડમાં મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ સવારે ૧૧ વાગ્યે એક ઉચ્ચ સ્તરીય ઇમર્જન્સી બેઠક યોજી હતી, જેમાં રાજ્ય સરકાર, નાગરિક ઉડ્ડયન મંત્રાલય, DGCA અને અન્ય એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યાં હતાં.
આ દુર્ઘટના બાદ ચાર ધામ યાત્રા માટે આર્યન એવિએશનની કામગીરી તાત્કાલિક સ્થગિત કરવામાં આવી હતી. ટ્રાન્સભારત એવિએશનના બે હેલિકોપ્ટર પણ આવી જ ખતરનાક હવામાન પરિસ્થિતિઓમાં ઉડતા જોવા મળ્યાં હતાં. બંને પાઇલટ્સ કેપ્ટન યોગેશ ગ્રેવાલ અને કેપ્ટન જીતેન્દ્ર હરજાઈના લાઇસન્સ છ મહિના માટે સસ્પેન્ડ કરાયાં હતાં.SS1