કોર્ટાેમાં ૧૮ લાખથી વધુ ક્રિમિનલ કેસોનો નિકાલ કરવા એડ-હોક જજોની નિમણૂક કરાશે

પડતર કેસોનો નિકાલ કરવા બેથી ત્રણ વર્ષની મુદત માટે હાઈકોર્ટના નિવૃત્ત જજોને એડ-હોક જજ તરીકે નિયુક્ત કરાશે
સુપ્રીમ કોર્ટની મંજૂરી છતા એડ-હોક જજોની નિમણૂકમાં હાઈકોર્ટાે નિષ્ક્રિય
નવી દિલ્હી, દેશમાં કોર્ટમાં પડતર ગુનાહિત કેસોનો ઝડપી નિકાલ થઈ શકે તે હેતુથી એડ-હોક જજની નિમણૂક કરવા સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી હોવા છતા હાઈકોર્ટ તેમની નિમણૂકમાં નિષ્ક્રિય હોવાનું સરકાર પાસે ઉપલબ્ધ વિગતો પરથી જણાય છે. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં જજની નિમણૂકથી વાકેફ લોકોના મતે પડતર કેસોના નિકાલ કરવા એડ-હોક જજ તરીકે નિવૃત્ત જજના નામની ભલામણ એકપણ હાઈકોર્ટની કોલેજિયમ દ્વારા અત્યાર સુધી કરવામાં આવી નથી. દેશમાં કુલ ૨૫ હાઈકોર્ટ આવેલી છે.
૧૧ જૂન સુધીમાં એકપણ હાઈકોર્ટ કોલેજિયમે કેન્દ્રીય કાયદા મંત્રાલયને એકપણ દરખાસ્ત મોકલી નથી.દેશની વિવિધ કોર્ટાેમાં ૧૮ લાખથી વધુ ક્રિમિનલ કેસોનો બેકલોગ હોવાથી સુપ્રીમ કોર્ટે ૩૦ જાન્યુઆરીના રોજ હાઈકોર્ટાેને તેમની કુલ મંજૂર કરાયેલી સંખ્યાના ૧૦ ટકાથી વધું ના થાય તે રીતે એડ-હોક ન્યાયાધીશોની નિમણૂક કરવા મંજૂરી આપી હતી. બંધારણની કલમ ૨૨૪એ હેઠળ પડતર કેસોના ભરાવાના ઉકેલ માટે હાઈકોર્ટમાં નિવૃત્ત જજની એડ-હોક જજ તરીકે નિમણૂક કરી શકાય છે. નિયત કરાયેલી વ્યવસ્થા મુજબ જે તે રાજ્યની હાઈકોર્ટની કોલેજિયમ કાયદા મંત્રાલયના ન્યાય વિભાગને હાઈકોર્ટ જજની નિમણૂક કરવા ભલામણ અથવા ઉમેદવારનું નામ મોકલી શકે છે.
ત્યારબાદ ન્યાય વિભાગ પોતાના તરફથી જરૂરી વિગતો ઉમેરીને સુપ્રીમ કોર્ટ કોલજિયમને વિગતો મોકલી આપે છે.સુપ્રીમ કોર્ટ કોલેજિયમ હાઈકોર્ટ જજની નિમણૂક અંગે અંતિમ નિર્ણય લે છે અને પસંદ કરાયેલા ઉમદવારને જજ નિયુક્ત કરવા સરકારને ભલામણ કરે છે. રાષ્ટ્રપતિ દ્વારા નવા જજની નિયુક્તિના વોરન્ટ પર હસ્તાક્ષર કરાય છે. એડ-હોક જજની નિમણૂક પ્રક્રિયા પણ આ મુજબ જ રહે છે અને તેમાં ફક્ત રાષ્ટ્રપતિ નિમણૂક વોરન્ટ પર હસ્તાક્ષર નથી કરતા પરંતુ એડ-હોક જજની નિમણૂક માટે તેમની સંમતિ માંગવામાં આવશે. સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ એસ એ બોબડેએ આપેલા એક ચુકાદામાં નિર્દેશ કર્યાે હતો કે, પડતર કેસોનો નિકાલ કરવા બેથી ત્રણ વર્ષની મુદત માટે હાઈકોર્ટના નિવૃત્ત જજોને એડ-હોક જજ તરીકે નિયુક્ત કરી
શકાશે.SS1