એર ઈન્ડિયાના વધુ એક વિમાનમાં ખામી

અમદાવાદ અકસ્માત બાદ ભયનો માહોલ
એર ઈન્ડિયાની ફ્લાઇટ AI૧૮૦ નિર્ધારિત સમય અનુસાર સેન ફ્રાન્સિકો એરપોર્ટથી રવાના થઈ હતી
નવી દિલ્હી,સેન ફ્રાન્સિસ્કોથી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઇટના એક એન્જિનમાં ટેન્કિકલ ખરાબી આવી હતી. જેના કારણે મંગળવારે (૧૭ જૂન) કોલકાતાના એરપોર્ટ પર વિમાનના સ્ટોપઓવર દરમિયાન મુસાફરોને ઉતારવા પડ્યા હતા. ફ્લાઇટ AI૧૮૦ સમયસર ૦૦ઃ૪૫ વાગ્યે એરપોર્ટ પર પહોંચી, પરંતુ ડાબા એન્જિનમાં ટેન્કિકલ ખરાબીના કારણે ઉડાનમાં મોડું થયું. લગભગ ૦૫ઃ૫૦ વાગ્યે વિમાનના તમામ મુસાફરોને ઉતરવા માટે કહેવામાં આવ્યું છે. વિમાનના કેપ્ટને મુસાફરોને જણાવ્યું કે, ફ્લાઇટની સુરક્ષા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
એર ઈન્ડિયાની ફ્લાઇટ AI૧૮૦ નિર્ધારિત સમય અનુસાર સેન ફ્રાન્સિકો એરપોર્ટથી રવાના થઈ હતી. જોકે, કોલકાતા એરપોર્ટ પર સવારે ૧૨ઃ૪૫ વાગ્યે પહોંચ્યા બાદ એન્જિનમાં ટેન્કિકલ ખામી જોવા મળી હતી. ચાર કલાકથી વધુ સમય બાદ સવારે ૫ઃ૨૦ વાગ્યે જણાવવામાં આવ્યું કે, તમામ મુસાફોને વિમાનથી નીચે ઉતરવું પડશે.
નોંધનીય છે કે, પાંચ દિવસ પહેલા જ્યારે અમદાવાદના સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી લંડનના ગેટવિક એરપોર્ટ જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI-૧૭૧ ટેકઓફ કર્યાના થોડી જ મિનિટોમાં બી.જે મેડિકલ કોલેજની હોસ્ટેલ બિલ્ડિંગ સાથે અથડાઈ હતી.
ક્રેશ થયેલા એર ઈન્ડિયાના વિમાનમાં ૨૪૨ લોકો સવાર હતા, જેમાં ૨૩૦ મુસાફરો, ૧૦ કેબિન ક્‰ સભ્યો અને બે પાઈલટનો સમાવેશ થાય છે. બ્રિટિશ નાગરિક વિશ્વાસ કુમાર રમેશ સિવાય બધાના મોત થયા હતા. ત્યારથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.SS1