ખાદ્ય વિતરણ કેન્દ્ર નજીક ભીષણ ગોળીબારમાં ૭૦થી વધુ લોકો ઘાયલ

પેલેસ્ટિનિયનોએ જણાવ્યા અનુસાર ઇઝરાયેલી દળોએ સવારે લગભગ ૪ વાગ્યે ફ્લેગ રાઉન્ડ અબાઉટ નજીક ભીડ પર ગોળીબાર કર્યાે હતો.
રોટલીને બદલે ગોળી! ઇઝરાયેલના હુમલામાં ૩૮ પેલેસ્ટેનિયનોના મોત
દેઇર અલ-બલાહ,ગાઝામાં ખાદ્ય વિતરણ કેન્દ્ર પર ફરી એકવાર ગોળીબારની ઘટના સામે આવી છે. ગાઝા પટ્ટીના આરોગ્ય મંત્રાલયે માહિતી આપી છે કે ખાદ્ય વિતરણ કેન્દ્ર નજીક થયેલા ગોળીબારમાં ઓછામાં ઓછા ૩૮ પેલેસ્ટેનિયનોના મોત થયા છે અને ૭૦થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઘટના ઉત્તરી ગાઝાના એક વિસ્તારમાં બની હતી, જ્યાં હજારો લોકો ખાદ્ય પદાર્થાે મેળવવા માટે એકઠા થયા હતા. ગોળીબારની આ ઘટના અત્યાર સુધીની સૌથી ઘાતક ઘટના છે.
ઇઝરાયેલી લશ્કરી નિયંત્રણવાળા વિસ્તારોમાંથી ખાનગી કોન્ટ્રાક્ટર ગાઝા હ્યુમેનિટેરિયન ફાઉન્ડેશન દ્વારા સંચાલિત ફૂડ સેન્ટરો સુધી પહોંચવા માટે હજારો પેલેસ્ટિનિયનો પસાર થાય છે. બે સાક્ષીઓએ જણાવ્યું હતું કે, ઇઝરાયેલી સૈનિકોએ ભીડને કાબૂમાં લેવાના પ્રયાસમાં ગોળીબાર કર્યાે હતો. જો કે, ઇઝરાયેલી સૈન્ય દ્વારા આ મુદ્દે કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. તેમણે અગાઉની ફાયરિંગની ઘટનાઓમાં કહ્યું હતું કે, સૈનિકોએ શંકાસ્પદોને તેમના સ્થાનો તરફ આગળ વધતા અટકાવવા માટે ગોળીબાર કર્યાે હતો.
ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, મોટાભાગના મૃતકો દક્ષિણ શહેર રફાહ નજીક GHF કેન્દ્ર સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જોકે, કેટલાક નજીકના શહેર ખાન યુનિસની બહાર નવા ખુલેલા હબના રસ્તા પર હતા. રફાહ સ્થળે ખોરાક મેળવવાનો પ્રયાસ કરી રહેલા બે પેલેસ્ટિનિયનોએ જણાવ્યા અનુસાર ઇઝરાયેલી દળોએ સવારે લગભગ ૪ વાગ્યે ફ્લેગ રાઉન્ડઅબાઉટ નજીક ભીડ પર ગોળીબાર કર્યાે હતો.SS1