Western Times News

Gujarati News

બહેરામપુરા, લાંભા, વટવા સહિતના વિસ્તારોમાં કોલેરાનો કહેર

કોરોનાના એક્ટિવ કેસની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં પાણી અને મચ્છરજન્ય રોગ સતત વધી રહયા છે. ખાસ કરીને ઝાડા-ઉલ્ટી, કમળો અને કોલેરા જેવા પાણીજન્ય રોગમાં ચિંતાજનક હદે વધારો થઈ રહયો છે.

શહેરમાં ર૦ર૪ના વર્ષ દરમિયાન કોલેરાના ર૦પ કેસ નોંધાયા હતાં જેને કારણે રાજય આરોગ્ય વિભાગ પણ ચોંકી ઉઠયું હતું તેમજ સાવચેતીના તમામ પગલાં લેવા અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને આદેશ આપ્યા હતા તેમ છતાં હજી સુધી કામગીરીમાં કોઈ સુધારો થયો હોય તેમ જણાતું નથી કોલેરાના મોટાભાગના કેસ પૂર્વ વિસ્તારમાં કન્ફર્મ થઈ રહયા છે. જયારે રાહતની બાબત એ છે કે કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ સતત વધી રહયા છે ચાલુ વર્ષ દરમિયાન કોલેરાના ૬૧ કેસ કન્ફર્મ થયા છે જુન મહિનામાં કોલેરાના નવા ૬ કેસ નોંધાયા છે જેના કારણે મ્યુનિ. આરોગ્ય વિભાગના અધિકારીઓ દોડતા થઈ ગયા છે. શહેરના લાંભા, વટવા, બહેરામપુરા, સરસપુર, ચાંદલોડિયા સહિતના વિસ્તારોમાંથી કોલેરાના નવા કેસ બહાર આવી રહયા છે.

કોલેરાના મોટાભાગના દર્દીઓને એલ.જી.હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે. કોલેરાના દર્દીઓ પૈકી પ૦ ટકા કરતા વધુ દર્દીઓ સગીર વયના છે જે ચિતાનો વિષય બની રહયો છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા બે વર્ષ અગાઉ પાણીજન્ય રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે ખાસ માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે

જેમાં ઈજનેર અને આરોગ્ય વિભાગના અધિકારીઓને સંયુકત રીતે કામ કરવાની વિવિધ સુચનાઓ આપવામાં આવી હતી પરંતુ તેનો યોગ્ય અમલ થઈ રહયો ન હોવાથી કોલેરાનો રોગચાળો વકરી રહયો હોય તેમ માનવામાં આવે છે. શહેરમાં કોરોનાના કેસમાં આંશિક ઘટાડો થતાં તંત્રને રાહત થઈ છે.

૧૪મી જુને કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૧૦૪૮ હતી જે ૧૬ તારીખે ઘટીને ૮૮૪ થઈ છે. શહેરમાં ૧૬મી જુને કોરોનાના નવા ૧૪ર કેસ નોંધાયા છે. જયારે ૩૦૬ દર્દી સાજા થતા તેમને સજા આપવામાં આવી છે. શહેરમાં અત્યાર સુધી કોરોનાના કુલ ૧૯૭પ કેસ નોંધાયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.