Western Times News

Gujarati News

યુપીમાં યુવતીએ આશિકની મદદથી નિકાહ પહેલાં જ મંગેતરની હત્યા કરાવી

નિકાહના આગલા દિવસે ભાવિ પતિને મોત મળ્યું

પોલીસે હત્યાનો ખુલાસો કરીને ગુલફશાંના પ્રેમી અને એક અન્ય આરોપીની ધરપકડ કરી છે

રામપુર,મેરઠની મુસ્કાન અને મધ્યપ્રદેશન ઇન્દોરની સોનમ રઘુવંશી દ્વારા પોતાના જ પતિની હત્યા કરાવવાની ઘટનાથી આખો દેશ સ્તબ્ધ છે. આ દરમિયાન હવે યુપીના રામપુરમાં તેનાથી વધુ ક્‰ર હત્યાનો મામલો સામે આવ્યો છે. અહીં ભોટ વિસ્તારના ધનુપુરા ગામની રહેવાસી ગુલફશાંએ નિકાહના એક દિવસ પહેલા જ મંગેતર નિહાલ (૨૫)નું પોતાના પ્રેમી સદ્દામની મદદથી અપહરણ કરાવીને હત્યા કરાવી દીધી છે. પોલીસે હત્યાનો ખુલાસો કરીને ગુલફશાંના પ્રેમી અને એક અન્ય આરોપીની ધરપકડ કરી છે, પરંતુ નિહાલના પરિવારજનોએ ગુલફશાંની ત્વરિત ધરપકડની માંગ કરી છે.

શહેરના મોહલ્લા ગૂજર ટોલા સ્થિત ફકીરોવાળા ફાટકના રહેવાસી નિહાલનો મૃતદેહ અજીમનગર નજીકના રતનપુરા ગામના જંગલોમાંથી મળી આવ્યો છે. આ હત્યાકાંડ પછી પીડિતના પરિવારજનોમાં માતમ પ્રસરી ગયો છે. આ ઘટના પાછળ પરિવારજનોએ પોલીસને જે ફરિયાદ આપી, તેનાથી સૌ સ્તબ્ધ થઈ ગયા છે. મૃતકના ભાઈ નાયબે સીધી રીતે નિહાલના થનાર પત્ની ગુલફશાંને નિહાલની હત્યા માટે દોષિત ગણાવી છે. નાયબે જણાવ્યું કે પોતાના ભાઈ નિહાલ રસોઇનું કામ કરતો હતો. તેની લગ્ન ધનુપુરા ગામની ગુલફશાં સાથે નક્કી થયા હતા. આ સગાઈ છ મહિના પહેલા થઈ હતી.

નાયબનું કહેવું છે કે ૧૫મી જૂને લગ્નની તારીખ નક્કી થઈ હતી. જાન માટે તૈયારી થઈ રહી હતી. નિકાહના કાર્યક્રમ શરૂ થઈ ગયા હતા.આ દરમિયાન ૧૪મી જૂને એક યુવકે નિહાલને ફોન કરીને ખુદને ગુલફશાંનો ભાઈ ગણાવીને એમ કહીને બોલાવ્યો કે તેના કપડાંનું માપ લેવાનું છે. ત્યાર પછી નિહાલ એ યુવકના બાઈક પર બેસીને ગયો હતો. પછી નિહાલ પરત ફર્યાે નહીં. નાયબનું કહેવું છે કે પરિવારના લોકોએ નિહાલની ખૂબ તપાસ કરી, પરંતુ જ્યાં કયાંક પણ નિહાલની ભાળ મળી નહીં એટલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.