ક્રોએશિયાની રાજધાની જાગ્રેબ પહોંચ્યા મોદી

જાગ્રેબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ય્૭ સમિટ પૂર્ણ કર્યા બાદ ત્રણ દેશોના પ્રવાસના ભાગરૂપે ક્રોએશિયા પહોંચ્યા છે. આ સાથે પ્રથમ વખત ભારતના કોઈ વડાપ્રધાને ક્રોએશિયાની સત્તાવાર મુલાકાત લીધી છે. પીએમ મોદી ક્રોએશિયાના વડાપ્રધાન આંદ્રેજ પ્લેંકોવિચ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે અને રાષ્ટ્રપ્રમુખ જોરાન મિલાનોવિચ સાથે પણ મુલાકાત કરશે. જે ભારત અને યુરોપિયન સંઘ સાથે સંબંધો વધુ ગાઢ બનાવવાના સંકેત આપી રહી છે.
આ મુલાકાતે ભારત અને ક્રોએશિયા વચ્ચે વેપાર, ટેક્નોલોજી અને સાંસ્કૃતિક સંદર્ભે સંબંધો ગાઢ બને તેવી પ્રબળ શક્્યતાઓ વ્યક્ત કરી છે. વડાપ્રધાન મોદી આતંકવાદ વિરૂદ્ધની લડાઈમાં ભારતને સમર્થન આપનારા દેશોને અભિવાદિત કરવા ત્રણ દેશોના પ્રવાસે છે. તેમની આ મુલાકાત ભારતના ક્રોએશિયા સાથે રાજકીય અને આર્થિક જોડાણને વધુ મજબૂત બનાવશે.
બંને દેશના વડાઓ વેપાર, ઈનોવેશન, ડિફેન્સ, પોર્ટ્સ, શિપિંગ, સાયન્સ એન્ડ ટેક્નોલોજી, સાંસ્કૃતિક, અને રોજગાર ક્ષેત્રો પર દ્વિપક્ષીય સંબંધોને વિÂસ્તરત કરે તેવા સંકેતો નિષ્ણાતો આપી રહ્યા છે. કનાનાÂસ્કસમાં ૫૧મી ય્૭ સમિટમાં ભાગ લીધા બાદ પીએમ મોદી પોતાના ત્રણ દેશોના પ્રવાસના ભાગરૂપે ક્રોએશિયા પહોંચ્યા હતાં. આ પહેલાં તેઓ સાયપ્રસની મુલાકાતે હતાં. જ્યાં બંને દેશો વચ્ચે વેપાર સંબંધો ગાઢ કરવા મુદ્દે ચર્ચા કરી હતી.
કનાનાÂસ્કસમાં ય્૭ સમિટ દરમિયાન વડાપ્રધાન મોદીએ વૈશ્વિક નેતાઓ સાથે આતંકવાદને સમર્થન આપનારા દેશો વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરવાની અપીલ કરી હતી. તેમણે પહલગામ આતંકી હુમલાને માનવતા પર હુમલા સમાન ગણાવ્યો હતો.