Western Times News

Gujarati News

એર ઈન્ડિયાએ વધુ ત્રણ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્‌સ રદ કરતા મુસાફરો પરેશાન

DGCAએ એર ઈન્ડિયાના બોઈંગ ૭૮૭ કાફલાને સુરક્ષા મુદ્દે ક્લિનચીટ આપી

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ એર ઈન્ડિયાએ બોઈંગ ૭૮૭ એરક્રાફ્ટ ધરાવતી કુલ ૬૬ ફ્લાઈટ્‌સ રદ કરી

નવી દિલ્હી,અમદાવાદની ભયાનક દુર્ઘટના બાદ એર ઈન્ડિયાના બોઈંગ ૭૮૭ ડ્રીમલાઈનર વિમાનોની સુરક્ષાને લઈને સવાલો ઉઠી રહ્યા છે. છેલ્લા છ દિવસમાં એર ઈન્ડિયાને ડ્રીમલાઈનર એરક્રાફટ ધરાવતી કુલ ૬૬ જેટલી ફ્લાઈટ્‌સ રદ કરવાની ફરજ પડી છે. આ સિલસિલો બુધવારે પણ જારી રહ્યો હતો અને એર ઈન્ડિયાને વધુ ત્રણ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પ્રભાવિત થઈ હતી જેમાં ટોરોન્ટો-દિલ્હી, દુબઈ-દિલ્હી અને દિલ્હી-બાલીનો સમાવેશ થયો હતો. અમદાવાદની ઘટના બાદ ૧૨ જૂનથી ૧૭ જૂન વચ્ચે એર ઈન્ડિયાના બોઈંગ ૭૮૭ વિમાન ધરાવતી સંખ્યાબંધ ફ્લાઇટ્‌સ પ્રભાવિત થઈ હતી.

એરલાઈને આશરે ૬૬ ફ્લાઇટો કેન્સલ કરી હોવાની વિગતો છે. મોટાભાગની ફ્લાઈટ રદ કરાઈ હતી તો કેટલીક ફ્લાઈટમાં તકનિકી ખામી હોવાનું કારણ જણાવાયું હતું.એર ઈન્ડિયાએ બુધવારે જણાવ્યું કે, ટોરોન્ટોથી દિલ્હીની ફ્લાઈટ AI૧૮૮ રદ કરાઈ હતી. મેઈન્ટેનન્સમાં વધુ પડતો સમય લાગતા સંચાલન ક્‰ની કામના કલાકોની સમયમર્યાદા પૂર્ણ થઈ હોવાથી ફ્લાઇટ રદ કરવી પડી હતી. એર ઈન્ડિયાની જ અન્ય દુબઈથી દિલ્હી જતી ફ્લાઇટ AI૯૯૬માં ટેન્કિકલ ક્ષતિ જણાતા મુસાફરોને નીચે ઉતારવામાં આવ્યા હતા અને ફ્લાઇટ રદ થઈ હતી.

એર ઈન્ડિયાની દિલ્હીથી બાલી જતી AI૨૧૪૫ ફ્લાઇટ બાલી નજીક પહોંચી ત્યારે ત્યાં જ્વાળામુખી વિસ્ફોટ થયો હોવાના અહેવાલથી ફ્લાઈટને પરત દિલ્હી વાળવામાં આવી હોવાનું એર ઈન્ડિયાએ જણાવ્યું હતું. દિલ્હી એરપોર્ટ પર ફ્લાઈટનું સુરક્ષિત લેન્ડિંગ કરાયું હતું. રદ કરાયેલી ફ્લાઇટ્‌સના તમામ મુસાફરોને ગંતવ્ય સ્થળે પહોંચવા વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ રહી છે. ટિકિટ રદ કરવા પર સંપૂર્ણ રીફંડ અથવા અન્ય ફ્લાઇટનો વિકલ્પ પણ આપવામાં આવ્યો હોવાનું એર ઈન્ડિયાએ જણાવ્યું હતું.એર ઈન્ડિયાના ૨૬ બોઈંગ ૭૮૭ ડ્રીમલાઈનરની સઘન તપાસના ડીજીસીએના આદેશ બાદ નિયમનકારે એર ઈન્ડિયાને ક્લિનચીટ આપી છે.

હૈદરાબાદઃ હૈદરાબાદમાં એક જ દિવસે એરપોર્ટ અને આંતરરાષ્ટ્રીય કાર્ગાે ફ્લાઇટમાં બોમ્બ હોવાની બે ધમકીઓ મળતા કટોકટીની સ્થિતિ જાહેર કરાઈ હતી. રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આવી રહેલી કતાર એરવેઝની કાર્ગાે ફ્લાઇટમાં માનવ બોમ્બ હોવાનો ધમકીભર્યાે ઈમેઈલ મળ્યો હતો.

બાદમાં વીઆઈપી લોકો માટે ઉપયોગમાં લેવાતા બેગમપેટ એરપોર્ટ પર પણ બોમ્બની ધમકી સાથેનો ઈમેઈલ મળતા હૈદરાબાદ એરપોર્ટ ખાતે ઈમર્જન્સી જાહેર કરવામાં આવી હતી અને બોમ્બ ડિસ્પોઝલ ટીમ, ફાયર તથા સુરક્ષા જવાનોને તૈનાત કરી દેવાયા હતા. આ બંને બોમ્બની ધમકીઓ અફવા હોવાનું પોલીસ તપાસ દરમિયાન બહાર આવ્યું હતું, જેના કારણે મુસાફરોએ રાહત અનુભવી હતી. ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.