Western Times News

Gujarati News

ગુમ થયેલા ગુજરાતી ફિલ્મ નિર્માતા મહેશ જીરાવાલાનું પ્લેન ક્રેશમાં મોત થયાની પુષ્ટિ

(એજન્સી)અમદાવાદ, અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઇન્ડિયાનું વિમાન ૧૨ જૂને દુર્ઘટનાગ્રસ્ત થઈ બી.જે મેડિકલ હોસ્ટેલમાં ક્રેશ થયું હતું. જે દુર્ઘટનામાં ૨૭૯ લોકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટનામાં મૃતકોની ઓળખ માટે ડીએનએ મેચ કરવાની કાર્યવાહી ચાલી રહી છે.

વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના ડીએનએ મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર ન હતો કે, તે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છે, ત્યારે પરિવારને તેમનો મૃતદેહ સોંપવામાં આવ્યો છે.

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ૨૭૯ લોકોના મોત નીપજ્યા છે. આ દુર્ઘટના બાદ ફિલ્મમેકર મહેશ જીરાવાલા ગુમ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે મહેશ જીરાવાલાના ડીએનએ મેચ થવા છતાં તેમનું મૃત્યુ નીપજ્યું હોવાને લઈને પરિવાર માનવા તૈયાર ન હતો.

સમગ્ર મામલે પોલીસે સળગેલા એક્ટિવાના એન્જિન-ચેસીસ નંબર, સીસીટીવી સહિતના પુરાવા એકઠા કરીને મૃતકના પરિવાર જણાવ્યું હતું. આમ હવે જીરાવાલાના મોતની પુષ્ટિ થઈ છે, ત્યારે પરિવારે મહેશ જીરાવાલાનો મૃતદેહ સ્વીકાર્યો છે. અમદાવાદના નરોડ વિસ્તારમાં રહેતા ૩૪ વર્ષીય ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર મહેશ ગીરધરભાઈ કાલાવાડિયા ઉર્ફે જીરાવાલ ઘરથી નીકળ્યા હતા અને શાહીબાગ સિવિલ હોસ્પિટલની નજીકમાં ગુમ થયા હતા.

આ મામલે કાર્તિકભાઈએ પોતાનો ભાઈ ગુમ થયાની નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ટેકનિકલ સોર્સ સહિતની પોલીસ તપાસમાં મહેશ વિમાન દુર્ઘટનામાં ભોગ બન્યો હોવાનું જાણવા મળ્યુ હતું. પરંતુ પરિવાર આ વાતને માનવા તૈયાર ન હતો. જ્યારે દુર્ઘટનાગ્રસ્ત સ્થળેથી લેવામાં આવલા મૃતદેહ સાથે મહેશના પરિવારજનો ડીએનએ મેચ થતાં અને પોલીસે જરૂરી પૂરાવા રજૂ એકઠા કરતા અંતે મહેશનું મોત નીપજ્યું હોવાની પુષ્ટિ થઈ છે.

મહેશ જીરાવાલા ગુજરાતના નરોડા વિસ્તારના રહેવાસી છે અને લાંબા સમયથી ફિલ્મ અને સંગીત વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ તેમના પ્રોડક્શન હાઉસ ‘મહેશ જીરાવાલા પ્રોડક્શન્સ’ના સીઈઓ છે. મહેશ મુખ્યત્ત્વે ગુજરાતી ભાષામાં મ્યુઝિક વીડિયો અને શોર્ટ ફિલ્મો બનાવે છે. વર્ષ ૨૦૧૯ માં મહેશે ફિલ્મ ‘કોકટેલ પ્રેમીઃ પગ ઓફ રીવેન્જ’નું ડાયરેક્શન કર્યું હતું.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.