ઈરાનના રાષ્ટ્રપતિ સાથે PM નરેન્દ્ર મોદીએ શું વાત કરી?

File Photo
પીએમ મોદીની મસૂદ પેઝેશકિયન સાથેની વાતચીત એવા સમયે થઈ છે જ્યારે અમેરિકા દ્વારા ઈરાનના ત્રણ પરમાણુ સ્થળો પર બોમ્બમારો કર્યા પછી સમગ્ર વિશ્વ મધ્ય પૂર્વની પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
(એજન્સી)નવી દિલ્હી, મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયન સાથે ફોન પર વાત કરી. પીએમ મોદીએ મસૂદ પેઝેશકિયન સાથે વર્તમાન પરિસ્થિતિ પર વિગતવાર ચર્ચા કરી અને ચિંતા વ્યક્ત કરી છે. પીએમ મોદીએ X પર એક પોસ્ટ દ્વારા ઇઝરાયલ અને ઈરાનને તણાવ ઓછો કરવા અને પરસ્પર વાતચીત કરવા અપીલ કરી છે. PM Modi speaks with Iranian President Masoud Pezeshkian
પીએમ મોદીએ તાત્કાલિક તણાવ ઓછો કરવા અને પ્રાદેશિક શાંતિ અને સુરક્ષા પુનઃસ્થાપિત કરવા માટે રાજદ્વારી દ્વારા તમામ બાબતોનો ઉકેલ લાવવા અપીલ કરી હતી.
તેમણે કહ્યું કે ભારત હંમેશા માનતું આવ્યું છે કે વાતચીત અને રાજદ્વારી એ કોઈપણ કટોકટીનો ઉકેલ છે. પીએમ મોદીની મસૂદ પેઝેશકિયન સાથેની વાતચીત એવા સમયે થઈ છે જ્યારે અમેરિકા દ્વારા ઈરાનના ત્રણ પરમાણુ સ્થળો પર બોમ્બમારો કર્યા પછી સમગ્ર વિશ્વ મધ્ય પૂર્વની પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
પીએમ મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે વાતચીતમાં ક્ષેત્રીય અખંડતા, શાંતિ અને સ્થિરતા માટે સંવાદ દ્વારા તણાવ ઘટાડવા અપીલ પણ કરી છે. નોંધનીય છે કે સર્વપ્રથમ ઈઝરાયલે ઈરાનના પરમાણુ ઠેકાણા પર હુમલા કર્યા હતા જે બાદ બંને દેશો વચ્ચે યુદ્ધ છેડાયું હતું. હવે આ યુદ્ધમાં ઈઝરાયલની પડખે અમેરિકાની પણ એન્ટ્રી થઈ ગઈ છે.