Western Times News

Gujarati News

નર્મદા ચોકડીથી દહેગામ બાયપાસ સુધી બંને તરફનો માર્ગ ૧૩ જુલાઈ સુધી હેવી અને ગુડ્‌ઝ કેરેજ વાહનો માટે બંધ

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ) ભરૂચ, ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ લિ.નાં તા.૨૫/૦૬/૨૦૨૫ નાં પત્ર અન્વયે આમુખ-૧ થી ભરૂચ-દહેજ રોડ પર ભોલાવ જંકશનથી શ્રવણ જંક્શન સુધી ૬ લેન એલિવેટેડ કોરીડોરનું બાંધકામ અર્થે રૂટ ડાયવર્ઝન કરવા હેવી વ્હીકલ, ગુડ્‌ઝ કેરેજ વાહનોને (એસ.ટી.બસ, કંપની પેસેન્જર બસ. સ્કુલ બસ, દુધનાં વાહનો, શાકભાજીનાં વાહનો,

જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લઈ જતા-આવતા વાહનો તથા જી.જે.૧૬ નંબર પ્લેટ ધરાવતા ભારે વાહનો તથા નર્મદા ચોકડીથી ભોલાવ જી.આઈ.ડી.સી. તથા ભોલાવ જી.આઈ.ડી.સી થી નર્મદા ચોકડી સુધી ભારે વાહનો ગુડ્‌ઝ કેરેજ વાહનો સિવાયનાં) નર્મદા ચોકડીથી દહેગામ બાયપાસ સુધી તથા દહેગામ બાયપાસથી નર્મદા ચોકડી સુધી

સવારના ૦૫ઃ૦૦ કલાકથી રાત્રિનાં ૨૧ઃ૦૦ કલાક સુધી તા.૨૮/૦૬/૨૦૨૫ થી તા.૧૩/૦૭/૨૦૨૫ દિન-૧૫ માટે ભારે વાહનો (હેવી વ્હીકલ), ગુડ્‌ઝ કેરેજ વાહનો માટે રસ્તો બંધ કરવા તથા આ સમય દરમ્યાન ઉપરોક્ત ભારે વાહનો, ગુડ્‌ઝ કેરેજ વાહનોને નીચે મુજબ રૂટ ડાયવર્ઝન આપવા અંગે જાહેરનામું પ્રસિધ્ધ કરવા બાબતે પોલીસ અધિક્ષક ભરૂચે અત્રે રજૂઆત કરી છે.

જ્યાં (૧) દહેજથી વડોદરા તરફ જવા-આવવા માટે રૂટ ડાયવર્ઝન આપવામાં આવતા દહેજ ટાઉન, આમોદ ચોકડી, કડોદરા ચોકડી, મુલેર ચોકડી, આમોદ, સરભાણ ચોકડી સુધી. (૨) દહેજથી સુરત તરફ જવા-આવવા માટે રૂટ ડાયવર્ઝન આપવામાં આવતા દહેજ, રહીયાદ, પખાજણ, વાગરા, વિલાયત, દેરોલ, દયાદરા, નબીપુર સુધી.

(૩) વિલાયતથી વડોદરા/સુરત તરફ જવા-આવવા માટે રૂટ ડાયવર્ઝન આપવામાં આવતા વિલાયત ચોકડી, દેરોલ, દયાદરા, નબીપુર સુધી.એન.આર.ધાધલ, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, ભરૂચ ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ-૩૩ (૧) (બી) અન્વયે મળેલ સત્તાની રૂએ ૨૮ જૂન ૨૦૨૫ થી તા.૧૩ જુલાઈ ૨૦૨૫ સુધી સવારના ૦૫ઃ૦૦ કલાકથી રાત્રિનાં ૨૧ઃ૦૦ કલાક સુધી નર્મદા ચોકડીથી દહેગામ બાયપાસ સુધી તથા દહેગામ બાયપાસથી નર્મદા ચોકડી સુધી ભારે વાહનો (હેવી વ્હીકલ), ગુડુઝ કેરેજ વાહનો માટે રરતો બંધ કરવા

તથા તેમજ આ સમય દરમ્યાન ઉપરોક્ત ભારે ભારે વાહનો, ગુડ્‌ઝ કેરેજ વાહનોને ઉપરોક્ત જણાવ્યા મુજબ રૂટ ડાયવર્ઝન આપવા આથી હુકમ કરવામાં આવે છે.આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર રહેશે.આ જાહેરનામાનાં ભંગ બદલ ફરીયાદ માંડવા પોલીસ હેડ કોન્સ્ટેબલથી ઉતરતી કક્ષાનાં ન હોય તેવા પોલીસ ખાતાનાં કર્મચારી/અધિકારીને અધિકૃત કરવામાં આવે છે. તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ભરૂચ એન.આર.ધાધલ દ્રારા મળેલા એક જાહેરનામાં જણાવ્યું હતું.

એસ.ટી.બસ, કંપની પેસેન્જર બસ, સ્કુલ બસ, દુધનાં વાહનો, શાકભાજીનાં વાહનો, જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લઈ જતા-આવતા વાહનો તથા જી.જે.૧૬ નંબર પ્લેટ ધરાવતા ભારે વાહનો તથા નર્મદા ચોકડીથી ભોલાવ જી.આઈ.ડી.સી તથા ભોલાવ જી.આઈ.ડી.સીથી નર્મદા ચોકડી સુધી ભારે વાહનો ગુરુડ્‌ઝ કેરેજ વાહનોને આ જાહેરનામા માંથી મુક્તિ આપવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.