Western Times News

Gujarati News

વ્હેલ માછલીની ઉલ્ટી લઈને ફરતાં છ ઈસમો વડોદરામાં ઝડપાયા

વ્હેલ માછલીની ઉલટી, જેને વૈજ્ઞાનિક ભાષામાં “એમ્બરગ્રીસ” કહે છે, મુખ્યત્વે સુગંધ (પરફ્યુમ) ઉદ્યોગમાં ઉપયોગ થાય છે. એમ્બરગ્રીસ પરફ્યુમના સુગંધને લાંબા સમય સુધી ટકાવી રાખવામાં મદદ કરે છે અને તેની દુર્લભતા અને ગુણવત્તા કારણે તેની કિંમત ખૂબ જ ઊંચી હોય છે.

રૂ.૧.પ૮ કરોડની કિંમતની પ.ર૭ર કિલો શંકાસ્પદ વ્હેલ માછલીની ઉલ્ટીનો જથ્થો મળી આવ્યો

વડોદરા, વડોદરાના અટલાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ૧.પ૮ કરોડની કિંમતની પ,ર૭ર કિલો શંકાસ્પદ વ્હેલ માછલીની ઉલ્ટી (એબેરગ્રીસ) સાથે ૬ ઈસમોને એલસીબી ઝોન-ર ની ટીમે ઝડપી પાડયા છે અને ૧,૬પ,પ૩,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

એલસીબી ઝોન-રમાં અનાર્મ હેડ કોન્સ્ટેબલ ભવદીપસિંહ ઘનશ્યામસિંહને પોતાના અંગત બાતમીદારથી બાતમી મળી હતી કે બીલ કેનાલ પાસે આવેલ ધ માર્ક કોમ્પલેક્ષના ગ્રાઉન્ડમાં કેટલાક ઈસમો પોતાની પાસેની સ્વીફટ ડીઝાયર કારમાં વ્હેલ માછલીની ઉલ્ટી (એબેરગ્રીસ)નું શંકાસ્પદ રીતે વેચાણ કરવા ફરે છે જેના આધારે રેડ કરી હતી અને આરોપીઓ પાસેથી મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી કરવા અટલાદરા પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.

પકડાયેલાઓમાં (૧) સુરેન્દ્રસિંહ મહેન્દ્રભાઈ ચાવડા (ઉ.વ.રપ), રહે પરમ ક્રેષ્ટ અટલાદરા બીલ કેનાલરોડ વડોદરા શહેર (ર) ગૌતમ અર્જુનભાઈ વસાવા ઉ.વ.રર, શારદા ડુપ્લેક્ષ, કલા દર્શન ચાર રસ્તા, વાઘોડીયા રોડ, વડોદરા શહેર

(૩) દીપક ભીખાભાઈ રબારી ઉ.વ.ર૬, રહે. ગામ વ્હોરા ભાથુજી મંદિર ફળીયુ, તા.તિલકવાડા, જી. નર્મદા (૪) સિધાર્થ ઉર્ફે સન્ની સનાભાઈ તડવી ઉ.વ.ર૩, મહેશ નગર સોમાતળાવ તરસાલી વડોદરા શહેર (પ) સૂરજસિંગ સુરજીતસિંગ કાંબોજ ઉ.વ.ર૪ રહે. શ્યામલ હાઈટસ વાઘોડીયા રોડ, વડોદરા શહેર તથા (૬) રાજુ ઉર્ફે સંજય લક્ષ્મણભાઈ ભરવાડ (ઉ.વ.ર૩) રહે. ભરવાડવાસ સંતોષી માતા મંદિર પાસે દંતેશ્વરનો સમાવેશ થાય છે.

એમ્બરગ્રીસના મુખ્ય ઉપયોગ:

  • પરફ્યુમ અને સુગંધ ઉત્પાદનમાં: પરફ્યુમના સુગંધને વધુ સમય સુધી ટકાવી રાખવા માટે.

  • દવાઓ બનાવવામાં: કેટલીક દવાઓમાં પણ તેનો ઉપયોગ થાય છે.

  • કેટલાક દેશોમાં historically ખાદ્ય પદાર્થો અને દારૂમાં પણ તેનો ઉપયોગ થયો છે.

પરફ્યુમ ઉદ્યોગ માટે એમ્બરગ્રીસ સૌથી વધુ કિંમતી અને ઉપયોગી છે, કારણ કે તે પરફ્યુમના સુગંધને સ્થિર અને લાંબો બનાવે છે. ભારત સહિત ઘણા દેશોમાં એમ્બરગ્રીસની ખરીદી-વેચાણ અને માલિકી કાયદેસર નથી, કારણ કે સ્પર્મ વ્હેલ સંરક્ષિત પ્રજાતિ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.