અમિત શાહ અચાનક મોડી રાત્રે રાજ્યપાલને મળવા કેમ પહોંચ્યા?

(એજન્સી)અમદાવાદ, ભારતના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ શનિવારે રાજભવન પહોંચ્યા હતા. તેમણે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન બંને વચ્ચે ગુજરાત સહિત સમગ્ર દેશમાં પ્રાકૃતિક ખેતીના વિસ્તરણ અને સહકારી ક્ષેત્રની ભૂમિકા અંગે ઊંડો વિચાર-વિમર્શ થયો હતો.
ભારતના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે રાજભવન પહોંચ્યા હતા. તેમણે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન બંને વચ્ચે ગુજરાત સહિત સમગ્ર દેશમાં પ્રાકૃતિક ખેતીના વિસ્તરણ અને સહકારી ક્ષેત્રની ભૂમિકા અંગે ઊંડો વિચાર-વિમર્શ થયો હતો.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અમિત શાહને ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે ચાલી રહેલા પ્રયાસોની વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, ખેડુતોને રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી માટેનું જન આંદોલન જનભાગીદારીથી રાજ્યમાં ઝડપથી વિસ્તરી રહ્યું છે.
અમિત શાહે ગુજરાતમાં ચાલી રહેલા પ્રાકૃતિક ખેતીના અભિયાનની પ્રશંસા કરી અને કહ્યું કે, આ કાર્ય માત્ર ખેડુતોના આર્થિક સશક્તિકરણનું સાધન નથી, પરંતુ જમીન, પાણી અને પર્યાવરણની રક્ષા માટેનો મહત્વપૂર્ણ ઉપાય પણ છે.
જો કે આ થઇ અધિકારીક મુલાકાતની વાત પરંતુ આંતરિક સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આગામી થોડા સમયમાં જ મંત્રીમંડળનાં વિસ્તર સહિતનાં અનેક મામલે ચર્ચા કરવા માટે અમિત શાહ રાજ્યપાલને મળ્યાં હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, લાંબા સમયથી મંત્રીમંડળના વિસ્તરણની રાહ જોવાઇ રહી છે. આ ઉપરાંત રાજ્યનાં નવા પ્રદેશ પ્રમુખની પણ જાહેરાત થવાની શક્યતાઓ જોવાઇ રહી છે.