વનતારાની નિષ્ણાત ટીમની મદદથી થઈ રહી છે રથયાત્રામાં બેકાબુ બનેલા હાથીઓની સારવાર

અમદાવાદ રથયાત્રામાં બેકાબૂ બનેલા હાથીઓની મદદે આવ્યું વનતારા
(એજન્સી)અમદાવાદ, શહેરમાં યોજાયેલી ૧૪૮મી જગન્નાથ રથયાત્રા દરમિયાન બેકાબૂ થયેલા ત્રણ હાથીઓની મદદે હવે અનંત અંબાણીના માર્ગદર્શન હેઠળની વન્યજીવન કલ્યાણ અને સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરતી પરોપકારી સંસ્થા વનતારા આવી છે.
રથયાત્રામાં હાથીઓની ભાગદોડ બાદ તેમની સંભાળ રાખવા માટે તાત્કાલિક ધોરણે એક વિશેષ ઇમર્જન્સી ટીમ તૈનાત કરી હતી. જે હાથીને તબીબી સંભાળ અને વર્તણૂકીય સહાય પૂરી પાડવા માટે સજ્જ છે. આ ટીમે હાથીઓની સંભાળ રાખવા માટે વનતારામાં લઈ જવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
અમદાવાદમાં રથયાત્રા દરમિયાન આ ઘટના ત્યારે બની હતી, જ્યારે શોભાયાત્રા દરમિયાન મોટેથી વાગતા સંગીતના અને ભીડના અવાજથી ગભરાયેલો એક નર હાથી અચાનક હરોળ તોડીને આગળ ધસી ગયો હતો. પાછળ પાછળ આવી રહેલા બે હાથીઓ પણ ગભરાઈ ગયા અને દોડી ગયા હતા, જેના કારણે શોભાયાત્રામાં ખલેલ પહોંચી અને થોડા સમય માટે અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી.
આ ઘટના બાદ તરત જ એક વિશેષ ટીમ બનાવવામાં આવી છે. જેમાં બે વન્યજીવ પશુચિકિત્સકો, છ વરિષ્ઠ મહાવતો, તાલીમ પામેલા અગિયાર સહાયક સ્ટાફ અને પાંચ એલિફન્ટ એમ્બ્યુલન્સનો સમાવેશ છે.
આ ટીમ કટોકટીના સમયમાં હાથીને તબીબી સંભાળ અને વર્તણૂકીય સહાય પૂરી પાડવા માટે સજ્જ હતા. હવે વનતારાની ટીમે સ્થાનિક અધિકારીઓને સાથે અસરગ્રસ્ત નર અને માદા હાથીઓના તબીબી મૂલ્યાંકનમાં મદદ કરી, વર્તણૂકીય અને માનસિક સહાય પૂરી પાડી અને જ્યાં જરૂરી હોય ત્યાં સલામત નિયંત્રણ સુનિશ્ચિત કર્યું હતું.
આ અંગે વાત કરતા ગુજરાતના મુખ્ય વન સંરક્ષક ડૉ. કે. રમેશ (આઇએફએસ)એ જણાવ્યું કે, રથયાત્રા દરમિયાન હાથીઓની દોડભાગની ઘટના બાદ અમે તાત્કાલિક સહાય માટે વનતારાનો સંપર્ક કર્યો હતો. તેમની ટીમે જામનગરથી ઝડપથી પ્રતિક્રિયા આપી અને સ્થાનિક અધિકારીઓ અને સંભાળ લેનારાઓ સાથે સંકલન સાધીને હાથીની યોગ્ય સંભાળ માટે તેમના સ્થાનાંતરણની વ્યવસ્થા કરી હતી.
અમદાવાદ રથયાત્રા દરમિયાન બનેલી આ ઘટના બાદ વનતારાના ત્વરિત પગલાં અને સમર્પણની પ્રશંસા જગન્નાથ મંદિર મેનેજમેન્ટે પણ કરી હતી. શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ સમિતિના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું કે, વનતારાએ આ હાથીઓને તાત્કાલિક જરૂરી તબીબી સહાય અને પુનર્વસન મળે તે સુનિશ્ચિત કરવા માટે ખૂબ જ પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
Vantara Steps in to aid Elephants in Distress at Ahmedabad Rath Yatra ; Vantara rushes expert emergency team and ambulances after elephants run amok during Rath Yatra2025.