Western Times News

Gujarati News

રિશભ પંતની ઇજા ગંભીર નથી, માન્ચેસ્ટરમાં રમી શકે છેઃ ગિલ

લંડન, ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઇંગ્લેન્ડના પ્રવાસે છે અને પાંચ ટેસ્ટની સિરીઝમાં અત્યારે ૧-૨થી પાછળ છે ત્યારે સિરીઝ જીવંત રાખવા માટે તેણે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે રમાનારી ચોથી ટેસ્ટ જીતવી જરૂરી બની ગયું છે.

ત્રીજી ટેસ્ટ દરમિયાન ભારતીય ટીમનો આધારભૂત ક્રિકેટર રિશભ પંત ઘાયલ થયો હતો અને તે કીપિંગ કરી શક્યો ન હતો. જેનું પરિણામ ભારતે ભોગવવું પડ્યું હતું.

હવે પ્રવાસી ટીમના કેપ્ટન શુભમન ગિલનું માનવું છે કે રિશભ પંત સમયસર ફિટ થઈ જશે અને ચોથી ટેસ્ટમાં રમી શકશે.ભારતીય કેપ્ટન શુભમન ગિલે જણાવ્યું હતું કે કીપર-બેટર રિશભ પંતની ઈજા એટલી બધી ગંભીર નથી.

તે ૨૩મીથી શરૂ થઈ રહેલી ઈંગ્લેન્ડ સામેની ઓલ્ડ ટ્રેફોર્ડ ટેસ્ટ સુધીમાં ફિટ થઈ શકે છે. સ્કેન રિપોર્ટમાં પંતના ડાબા હાથની આંગળીમાં ગંભીર ઈજાની પૃષ્ટિ થઈ નથી. રિશભ પંતને લાડ્‌ર્સ ટેસ્ટની પ્રથમ ઈનિંગ્સ દરમિયાન ઈજા થઈ હતી. તે જસપ્રિત બુમરાહના એક બોલને લેગ સાઈડ પર રોકવાના પ્રયાસમાં ઈજાગ્રસ્ત થયો હતો. આંગળી પર બોલ વાગતા ફિઝિયો મેદાન પર દોડી આવ્યા હતા.

જોકે ત્યાર બાદની મેચમાં એક્સ્ટ્રા વિકેટકીપર ધ્›વ જુરેલે કીપિંગ કર્યું હતું.ભારતને ત્રીજી ટેસ્ટમાં વિકેટકીપર તરીકે પંતની ખોટ પડી હતી કેમ કે તેણે બેટિંગ તો કરી જ હતી પરંતુ વિકેટ પાછળ તેની કાબેલિયતની જરૂર હતી ત્યારે તેને સ્થાને આવેલા જુરેલે લગભગ ૨૫ રન બાયના સ્વરૂપમાં આપી દીધા હતા.

ઇંગ્લેન્ડના ૧૯૨ રનના સ્કોરમાં આ ૨૫ બાયના રન ભારતને મોંઘા પડ્યા હતા કેમ કે અંતે તેનો ૨૨ રનથી પરાજય થયો હતો. આ દરમિયાન ઈંગ્લેન્ડે અનુભવી લેફ્ટ આર્મ સ્પિનર લિયાન ડાઉસનને આઠ વર્ષ બાદ ફરી ટેસ્ટ ટીમમાં તક આપી છે. તેને ચોથી ટેસ્ટમાં શોએબ બશીરના સ્થાને સામેલ કરાયો છે. બશીરને ત્રીજી ટેસ્ટની પ્રથમ ઈનિંગ્સમાં ફિલ્ડિંગ કરતા ઈજા થઈ હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.