કર્ણાટક, મહારાષ્ટ્ર, જમ્મુ-કાશ્મીર, પંજાબને હવે મળી વંદે ભારત એક્સપ્રેસની સુવિધા

નવી દિલ્હી, વંદે ભારત એક્સપ્રેસ દેશને ગતિ, સુવિધા અને આત્મનિર્ભરતાના તાંતણે બાંધી રહી છે. દેશભરમાં વંદે ભારત સેવાઓની સંખ્યા ૧૫૦ થઇ છે., વિકાસની ટ્રેન દરેક દિશામાં દોડી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૦ ઓગસ્ટે કર્ણાટકના બેંગલુરુથી ત્રણ નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપી હતી.
કર્ણાટક, જમ્મુ અને કાશ્મીર, મહારાષ્ટ્ર અને પંજાબને આ ત્રણ ટ્રેન સેવાઓનો સીધો લાભ મળશે. આ ટ્રેનો શરૂ થવા સાથે વંદે ભારત સેવાઓની કુલ સંખ્યા ૧૫૦ થઈ છે.નવી ટ્રેનો અને તેના મુખ્ય સ્ટોપેજ જોઈએ તો બેલાગવી – ક્રાંતિવીરા સંગોલ્લી રાયન્ના (બેંગલુરુ) વંદે ભારત એક્સપ્રેસનો મુખ્ય સ્ટોપેજઃ ધારવાડ, હુબલ્લી, હાવેરી, દાવણગેરે, તુમકુરુ અને યશવંતપુર રહેશે.
શ્રી માતા વૈષ્ણો દેવી કટરા – અમૃતસર વંદે ભારત એક્સપ્રેસમાં મુખ્ય સ્ટોપેજઃ જમ્મુ તાવી, પઠાણકોટ કેન્ટ, જલંધર શહેર અને બિયાસ રહેશે. અજની (નાગપુર) – પુણે વંદે ભારત એક્સપ્રેસમાં મુખ્ય સ્ટોપેજઃ વર્ધા, બડનેરા, અકોલા, ભુસાવલ, જલગાંવ, મનમાડ, કોપરગાંવ, અહમદનગર, દાઉન્ડ ચોર્ડ લાઈન રહેશે.બેલાગવી – ક્રાંતિવીરા સંગોલ્લી રાયન્ના (બેંગલુરુ) વંદે ભારત એક્સપ્રેસની શરૂઆત સાથે, કર્ણાટકમાં ચાલતી વંદે ભારત ટ્રેનોની સંખ્યા વધીને ૧૧ થઈ છે.
બેલગામથી બેંગલુરુનું અંતર લગભગ ૫૦૦ કિમી છે, જે હવે વંદે ભારત દ્વારા ખૂબ જ ટૂંકા સમયમાં પૂર્ણ કરી શકાય છે. મહારાષ્ટ્રમાં અજની-પુણે સેવા શરૂ થવાથી, રાજ્યમાં વંદે ભારત ટ્રેનોની સંખ્યા વધીને ૬ થઈ છે. ,
જમ્મુ અને કાશ્મીરમાં શ્રી માતા વૈષ્ણો દેવી કટરા – અમૃતસર વંદે ભારત સેવા સાથે, વંદે ભારત ટ્રેનોની કુલ સંખ્યા વધીને ૪ થઈ જશે. હવે પંજાબમાં કુલ ૩ વંદે ભારત સેવાઓ ઉપલબ્ધ થઇ છે.અત્યાર સુધીમાં ૬.૩ કરોડથી વધુ મુસાફરો વંદે ભારત ટ્રેનોમાં મુસાફરી કરી ચૂક્યા છે.SS1MS