Western Times News

Gujarati News

ટેરિફ નીતિના કારણે રોકાયું ભારત પાકિસ્તાનનું યુદ્ધ: ટ્રમ્પ

વોશિંગ્ટન, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારથી સત્તા સંભાળી છે, ત્યારથી વિવાદોનું કેન્દ્ર બન્યા છે. જેમાં સૌથી વધુ વિવાદીત તેમના નિવેદનો રહ્યા છે.

ટ્રમ્પના પ્રમાણે તેની ટેરિફ નીતિને કારણે વિશ્વમાં ઘણા યુદ્ધ રોકાય છે. તેના મતે ટ્રમ્પે વૈશ્વિક શાંતિ સ્થાપવામાં મુખ્ય ભુમિકા ભજવી છે. આ દાવો એક સામાન્ય વેપારી નિર્ણયને વૈશ્વિક શાંતિનું હથિયાર બનાવીને રજૂ કરે છે.

ટ્રમ્પે તાજેતરમાં પોતાની ટેરિફ નીતિ પર પ્રશ્નોના જવાબમાં કહ્યું કે, જો આ અધિકાર ન હોત તો સાતમાંથી ઓછામાં ઓછા ચાર યુદ્ધો ભડકાઈ જ ગયા હોત.

ખાસ કરીને ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને લઈને તેઓએ કહ્યું કે બંને દેશો યુદ્ધ માટે તૈયાર થઈ ગયા હતા. તેઓએ વધુ કહ્યું કે, તેમની કડક ટેરિફ નીતિની વાતચીતએ આ યુદ્ધ ટાળવામાં મદદ મળી હતી. આ દાવો તેમની વેપારી રીતને યુદ્ધ વિરોધી શસ્ત્ર તરીકે રજૂ કરે છે.

ટ્રમ્પે આ વાતને યુનાઈટેડ નેશન્સની મહાસભામાં પણ પુનરાવર્તિત કરી, જ્યાં તેઓએ તેમના બીજા કાર્યકાળના પ્રથમ સાત મહિનામાં સાત યુદ્ધોને અટકાવ્યાનો દાવો કર્યાે હતો.

સપ્ટેમ્બરમાં આપેલા ભાષણમાં તેઓએ કહ્યું કે, આ દાયકાઓથી ચાલતા વિવાદો હવે શાંતિ તરફ વળ્યા છે. વધુમાં, તેઓએ પોતાને નોબેલ શાંતિ પુરસ્કારના દાવેદાર તરીકે પણ રજૂ કર્યા હતા.

ટ્રમ્પ વહીવટે જુલાઈમાં એક પ્રેસ બ્રીફિંગમાં આ યુદ્ધો અટકાવનારા દેશોની વિગતવાર યાદી જાહેર કરી હતી. આ યાદીમાં ફોન કોલ્સ, વેપારી કરારો, ટેરિફ અને મધ્યસ્થી જેવા હથિયારોનો ઉલ્લેખ કરીને કહેવામાં આવ્યું કે, આ બધા દ્વારા વિવાદોનું સમાધાન થયું.

યાદીમાં ભારત-પાકિસ્તાન, ઇઝરાયલ-ઇરાન, થાઇલેન્ડ-કંબોડિયા, રવાંડા-ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, સર્બિયા-કોસોવો, આર્મેનિયા-અઝરબૈજાન અને મિસર-ઇથિયોપિયા જેવા વિસંગતોનો સમાવેશ થાય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.