Western Times News

Gujarati News

કાલોલ નગરપાલિકાના રોડ રસ્તા ગટરના કામોની ક્વોલિટીમાં બેદરકારી દાખવનારા સામે કડક પગલાં લેવાશે

પ્રતિકાત્મક

ડિસેમ્બર-25ના રાજ્ય સ્વાગતમાં 97 જેટલા રજૂઆત કર્તાઓની રજૂઆતો મુખ્યમંત્રી સમક્ષ આવી

ખેડૂતો પ્રત્યે મુખ્યમંત્રીશ્રીની આગવી સંવેદનશીલતા જુનાગઢ અને મહેસાણા જિલ્લાના ખેડૂતોની સંપાદિત થયેલી જમીનનું વળતર તાત્કાલિક ચુકવવા જિલ્લા કલેકટરોને તાકિદ

Gandhinagar, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ડિસેમ્બર-2025ના રાજ્ય સ્વાગતમાં રજૂઆત કરવા આવેલા નાગરિકોની રજૂઆતો પ્રત્યક્ષ સાંભળીને તેના યોગ્ય નિવારણ માટે સંબંધિત વિભાગોને સૂચનાઓ આપી હતી.

તેમણે રાજ્યના વિભાગો અને વહીવટી તંત્રના અધિકારીઓને આ સંદર્ભમાં એવી પણ તાકિદ કરી હતી કેસ્વાગતમાં આવતી રજૂઆતોનું નિવારણ સામૂહિક પ્રયત્નોથી લાવવું જોઈએ.

દર મહિનાના ચોથા ગુરુવારે યોજવામાં આવતા “સ્વાગત” ઓનલાઇન જનફરિયાદ નિવારણના ઉપક્રમમાં ડિસેમ્બર-૨025ના રાજ્ય સ્વાગતમાં રાજ્યભરમાંથી 97થી વધુ રજૂઆત કર્તાઓ પોતાની રજૂઆતો સાથે ઉપસ્થિત રહ્યા હતા. એટલું જ નહિજિલ્લા સ્વાગતની 1284 અને તાલુકા સ્વાગતની 2458 રજૂઆતો-પ્રશ્નો સંદર્ભમાં જિલ્લા તાલુકા કક્ષાએ નિવારણની કાર્યવાહી પણ કરવામાં આવી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તેમની સમક્ષ થયેલી રજૂઆતોમાં સંવેદના સ્પર્શી અભિગમ દાખવીને આવી રજૂઆતોના યોગ્ય નિવારણ માટે સંબંધિત જિલ્લા કલેક્ટરોને સ્પષ્ટ તાકિદ કરી હતી. તેમણે જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના એક ધરતી પુત્રને તેના ખેતરમાં જવા માટેનો રસ્તો સ્થાનિક સ્થિતિએ જરૂરી ચકાસણી કરીને મેળવી આપવા જિલ્લા કલેકટરને સૂચના આપી હતી.

આ ઉપરાંત સીપુ યોજના અન્વયે સાબરમતી સરસ્વતી લિન્ક કેનાલ યોજનામાં મહેસાણાના ખેડૂતની સંપાદિત થયેલી  ખેતીની જમીનનું વળતર તાત્કાલિક ચુકવવાના દિશાનિર્દેશો કલેકટરને આપ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ નગરોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ અને નાગરિક સુવિધાના કામોમાં ક્વોલિટી જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા પણ જણાવ્યું હતું અને આવા કામોમાં બેદરકારી કે નિષ્કાળજી દાખવનારાઓ સામે કડક પગલાં લેવા સૂચના આપી હતી.

વાપી નગરપાલિકા વિસ્તારમાં સંયૂક્ત માલિકીની જમીનમાં અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ કનેક્શન માટે કરવામાં આવતા અવરોધો દૂર કરીને આ કનેક્શન તાત્કાલિક આપવા અને બાબરા તાલુકાના રજૂઆત કર્તાને સરકારે ફાળવેલા મફત ઘરના પ્લોટની ગામના નમૂનામાં નોંધ કરીને માલિકી હક આપવા મુખ્યમંત્રીશ્રીએ સંબંધિત તંત્રવાહકોને કાર્યવાહી હાથ ધરવા જણાવ્યું હતું.

આ રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ શ્રી ડૉ. વિક્રાંત પાંડેખાસ ફરજ પરના અધિકારીઓ શ્રી ધીરજ પારેખ અને શ્રી રાકેશ વ્યાસ તેમજ સંબંધિત વિભાગોના સચિવો ગાંધીનગરથી તથા જિલ્લા કલેકટરો વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.