ભારતમાં પણ અન્ન સંકટ સર્જાય તેવો ભય: ECMWFની ચોંકાવનારી આગાહી
સુપર અલ નીનોથી મોટો દુષ્કાળ પડવાની દહેશત –
નવી દિલ્હી, વિશ્વભરના હવામાન વિજ્ઞાનીઓ એક ‘પર્યાવરણ બોમ્બ’ ફાટવાની ચેતવણી આપી છે; એક એવો બોમ્બ, જે સમગ્ર પૃથ્વીના પર્યાવરણને હચમચાવી શકે છે. પેસિફિક મહાસાગરમાં નોંધાઈ રહેલી રેકોર્ડ બ્રેક ગરમીએ આ સદીના સૌથી ખતરનાક અને શક્તિશાળી ‘સુપર અલ નીનો’ના આગમનની ઘંટડી વગાડી દીધી છે. જો આ કુદરતી ઘટના આગામી મહિનાઓમાં સંપૂર્ણપણે સક્રિય થઈ જશે, તો ભારત સહિત સમગ્ર વિશ્વએ ગંભીર દુષ્કાળ, અસહ્ય ગરમી અને ખાદ્ય સંકટ જેવી અભૂતપૂર્વ સ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે.
‘યુરોપિયન સેન્ટર ફોર મીડિયમ-રેન્જ વેધર ફોરકાસ્ટ્સ’ દ્વારા જૂન ૨૦૨૬ માટે જાહેર કરાયેલા હવામાન મોડેલ અપડેટ્સે વૈજ્ઞાનિક જગતને આશ્ચર્યમાં મૂકી દીધું છે. આ આંતરરાષ્ટ્રીય મોડેલ અનુસાર, પેસિફિક મહાસાગરમાં એક એવા વિનાશક ‘સુપર અલ નીનો’ની રચના થઈ રહી છે, જે આધુનિક ઉપગ્રહ યુગના ઇતિહાસમાં સૌથી આત્યંતિક સાબિત થઈ શકે છે.
આગાહી મુજબ, ૨૦૨૬ના અંત સુધીમાં પેસિફિક મહાસાગરનું તાપમાન સામાન્ય કરતા +૩°ઝ્ર થી +૪°ઝ્ર સુધી વધી શકે છે. પેરુ અને ઇક્વાડોરના દરિયાકાંઠાના વિસ્તારોમાં તો આ વધારો +૫°ઝ્ર સુધી પહોંચવાના સંકેતો છે. આ આંકડા સામાન્ય નથી; આ એક એવી ભયાનક સ્થિતિ દર્શાવે છે જેનો અનુભવ આધુનિક માનવ ઇતિહાસે ક્યારેય કર્યો નથી.
માનવજાત પર તોળાઈ રહેલા ખતરાની ગંભીરતા સમજવા આપણે ઇતિહાસના ત્રણ સૌથી મોટા ‘સુપર અલ નીનો’ પર નજર નાખવી પડશે. વર્ષ ૧૯૮૨-૮૩ દરમિયાન વૈશ્વિક તાપમાનમાં સામાન્ય કરતાં +૨.૧°ઝ્ર નો વધારો નોંધાયો હતો, જેના કારણે વૈશ્વિક સ્તરે ગંભીર દુષ્કાળ અને વિનાશક પૂર જેવી આપત્તિઓ આવી હતી. ત્યારપછી, વર્ષ ૧૯૯૭-૯૮માં તાપમાનનો આ વધારો +૨.૪°ઝ્ર પર પહોંચ્યો, જેને ગત સદીનો સૌથી ખતરનાક હવામાન પલટો માનવામાં આવે છે.
જ્યારે વર્ષ ૨૦૧૫-૧૬ દરમિયાન પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી, જેમાં તાપમાનમાં સામાન્ય કરતાં +૨.૬°ઝ્ર જેટલો મોટો વધારો થયો હતો. આ આધુનિક સમયનો સૌથી આકરો અલ નીનો હતો, જેણે વૈશ્વિક તાપમાનને રેકોર્ડ સ્તરે પહોંચાડી દીધું હતું. ૨૦૨૬માં તાપમાન +૩°ઝ્ર કે તેનાથી પણ ઉપર જવાની ધારણા છે, જે દર્શાવે છે કે આ વખતનું સંકટ ભૂતકાળના તમામ રેકોર્ડ તોડી નાખશે.
અલ નીનો એ એક કુદરતી હવામાન પ્રક્રિયા છે, જે વિષુવવૃત્તીય પેસિફિક મહાસાગરમાં દરિયાની સપાટીનું પાણી અસામાન્ય રીતે ગરમ થવાને કારણે સર્જાય છે. સામાન્ય પરિસ્થિતિમાં પૂર્વથી પશ્ચિમ તરફ ફૂંકાતા પવનો ગરમ પાણીને એશિયા અને ઓસ્ટ્રેલિયા તરફ ધકેલે છે, જેના કારણે ભારતમાં સારો વરસાદ પડે છે. પરંતુ અલ નીનો દરમિયાન આ પવનો ખૂબ નબળા પડી જાય છે અથવા ઉલટી દિશામાં વહેવા લાગે છે. પરિણામે, દક્ષિણ અમેરિકામાં મુખ્યત્વે પેરુના દરિયાકાંઠા નજીકનું ઠંડુ પાણી ગાયબ થઈ જાય છે અને ત્યાં ગરમ પાણીનો વિશાળ જથ્થો જમા થાય છે. જ્યારે સમુદ્રનો આટલો મોટો ભાગ આટલી હદે ગરમ થઈ જાય છે ત્યારે તે સમગ્ર વિશ્વના વાયુમંડળના ચક્રને ખોરવી નાખે છે.
ભારત જેવા કૃષિપ્રધાન દેશ માટે આ સમાચાર ચિંતાજનક છે કારણ કે દેશનું સમગ્ર અર્થતંત્ર દક્ષિણ-પશ્ચિમ ચોમાસા પર નિર્ભર છે. ઇતિહાસ કહે છે કે જ્યારે પણ પેસિફિક મહાસાગર ગરમ થયો છે, ત્યારે ભારતમાં ચોમાસું નબળું પડ્યું છે. આ સુપર અલ નીનોની ભારત પર મુખ્ય ૩ અસરો પડી શકે છે.
– ચોમાસાના ઉત્તરાર્ધમાં ગંભીર દુષ્કાળઃ સામાન્ય રીતે અલ નીનોની અસર ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વધુ તીવ્ર બને છે. તેનાથી મધ્ય, પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ ભારત (ખાસ કરીને ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ)માં વરસાદમાં ઘટાડો થઈ શકે છે અને દુષ્કાળની સ્થિતિ સર્જાઈ શકે છે. પાક નિષ્ફળતા અને મોંઘવારીઃ ભારતના મુખ્ય ખરીફ પાકો જેવા કે ડાંગર, મકાઈ, સોયાબીન અને કપાસ સંપૂર્ણપણે વરસાદ પર આધારિત છે.
વરસાદની ખેંચને કારણે પાક નિષ્ફળ જવાનું જોખમ વધશે, જેનાથી અનાજનું ઉત્પાદન ઘટશે અને બજારમાં ખાદ્ય ફુગાવો (મોંઘવારી) અનિયંત્રિત બની શકે છે. – અસહ્ય ગરમી અને શિયાળા પર અસરઃ અલ નીનો વૈશ્વિક તાપમાન વધારે છે, જેના કારણે ભારતમાં શિયાળો અસામાન્ય રીતે ગરમ રહી શકે છે. વર્ષ ૨૦૨૭ના શરૂઆતના મહિનાઓમાં દેશ અત્યાર સુધીના સૌથી ઘાતક હીટવેવ (લૂ) નો સામનો કરી શકે છે. હીટવેવના કારણે દેશના જળાશયો અને ડેમોમાં પાણીનું સ્તર ચિંતાજનક રીતે ઘટી શકે છે.
– ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા અને દક્ષિણ એશિયાના દેશો પાણીની તીવ્ર અછત અને જંગલોની આગ (દાવાનળ) નો સામનો કરશે.
– દક્ષિણ અમેરિકાના દેશો (પેરુ, બ્રાઝિલ, ઈક્વાડોર) અને અમેરિકાના દક્ષિણ રાજ્યોમાં મૂશળધાર વરસાદ અને પૂર તબાહી મચાવશે.
– આ વિપરીત હવામાનને કારણે વૈશ્વિક સ્તરે કોફી, ખાંડ, કોકો અને પામ ઓઈલ જેવી મહત્ત્વની ચીજોની સપ્લાય ચેઈન સંપૂર્ણપણે ખોરવાઈ જશે, જેનાથી વૈશ્વિક આર્થિક સંકટ આવી શકે છે.
