પરિવારની સંમતિ વિના હોસ્પિટલમાં સારવાર ન આપવા સોનમ વાંગચુકની પત્નીની માંગ
- 20 દિવસની ભૂખ હડતાળ બાદ સોનમ વાંગચુક હોસ્પિટલમાં લઈ જવાયા
- દિલ્હી હાઈકોર્ટના આદેશ બાદ પોલીસે વાંગચુકને હોસ્પિટલ ખસેડ્યા.
નવી દિલ્હી, દિલ્હીના જંતર-મંતર ખાતે 20 કરતાં વધુ દિવસથી ભૂખ હડતાળ પર ઉતરેલા ઇનોવેટર, શિક્ષણશાસ્ત્રી અને ક્લાઇમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ દરમિયાન શનિવારે તેમની પત્ની ગીતાંજલિ જે. આંગમોએ જણાવ્યું હતું કે, તેમની, તેમના પરિવાર અને લાંબા સમયથી તેમની સારવાર કરતા ડોક્ટરોની સંમતિ વિના તેમના પતિને મોં દ્વારા (oral) કે નસ દ્વારા (IV) કોઈ પણ પ્રકારની તબીબી સારવાર આપવામાં ન આવે. Sonam Wangchuk removed from protest site at Jantar Mantar.
ગીતાંજલિએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં જણાવ્યું કે, “હું દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં છું, જ્યાં સોનમ વાંગચુકને દાખલ કરવામાં આવ્યા છે. મારી, તેમના પરિવાર અને છેલ્લા 20 દિવસથી તેમના સ્વાસ્થ્ય પર દેખરેખ રાખી રહેલા ડોક્ટરોની સંમતિ લીધા વિના તેમને મોં વાટે કે નસ દ્વારા કશું પણ આપવામાં ન આવવું જોઈએ.” Delhi: Sonam Wangchuk’s wife Geetanjali J. Angmo clashes with doctor at Safdarjung Hospital
Delhi: DCP New Delhi Sachin Sharma says, “In compliance with the Honorable High Court’s order, and based on health conditions and medical advice, Sonam Wangchuk has been moved from here to an appropriate government hospital for much-needed medical intervention and is currently… pic.twitter.com/tRMtY1XSnV
— IANS (@ians_india) July 18, 2026
દિલ્હીના જંતર-મંતર પર છેલ્લા 20 દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા વાંગચુકની તબિયત બગડતાં શનિવારે વહેલી સવારે તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ પગલું દિલ્હી હાઈકોર્ટના નિર્દેશોના પાલન અને તબીબી નિષ્ણાતોની સલાહના આધારે લેવામાં આવ્યું હતું.
સવારે પોલીસ કર્મચારીઓ વિરોધ પ્રદર્શનના સ્થળે પહોંચ્યા હતા અને અન્ય કાર્યકરોના સૂત્રોચ્ચાર અને વિરોધ વચ્ચે વાંગચુકને હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (નવી દિલ્હી) એ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “માનનીય હાઈકોર્ટના આદેશો અનુસાર અને તબીબી નિષ્ણાતોની સલાહ પર, શ્રી સોનમ વાંગચુકની બગડતી તબિયતને ધ્યાનમાં રાખીને, તેમને જરૂરી તબીબી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. માનનીય હાઈકોર્ટના આદેશોનું પાલન કરતી વખતે પ્રદર્શનકારીઓએ અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં થોડી અફરાતફરી મચી ગઈ હતી, જો કે પોલીસે મહત્તમ સંયમ રાખ્યો હતો અને આ કામગીરી સુરક્ષિત રીતે પૂર્ણ કરી હતી. અમે જંતર-મંતર પરના પ્રદર્શનકારીઓને વહેલી તકે આ જગ્યા શાંતિપૂર્ણ રીતે ખાલી કરવા વિનંતી કરીએ છીએ.”
વાંગચુકના સ્વાસ્થ્ય અંગે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થવાની હતી તે પહેલા જ પોલીસે આ કાર્યવાહી કરી હતી. આ સપ્તાહની શરૂઆતમાં, હાઈકોર્ટે સત્તાવાળાઓને એક્ટિવિસ્ટના સ્વાસ્થ્યનું રોજિંદુ ક્લિનિકલ મૂલ્યાંકન કરવા નિર્દેશ આપ્યો હતો અને અવલોકન કર્યું હતું કે “કોઈપણ નાગરિકનું જીવન કિંમતી છે” અને કેન્દ્રને તેમનું જીવન બચાવવા માટે તમામ જરૂરી તબીબી સહાય સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી.
NEET પરીક્ષામાં કથિત ગેરરીતિઓને લઈને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે વાંગચુકે ભૂખ હડતાળ શરૂ કરી હતી. ચોમાસુ સત્રના પ્રથમ દિવસે પ્રધાનના રાજીનામાની માંગ સાથે વાંગચુકે 20 જુલાઈના રોજ જંતર-મંતરથી સંસદ ભવન સુધી કૂચનું પણ આહવાન કર્યું હતું.
