Western Times News

Gujarati News

માણાવદરમાં હોળી ધુળેટી પર્વ  બજારમાં મંદી

હોળી અને ધૂળેટીનાં તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહયા છે.ત્યારે ધુળેટી પર્વ રંગોનો છંટકાવ માટે લોકો પિચકારીઓ ઉપયોગ કરતા હોય છે. આના કારણે માણાવદરની બજારમાં અવનવી પીચકારીઓ ની માંગ હોય છે. આધુનિક યુગના સમયે માણાવદર ની બજારમાં અવનવી વેરાયટીઓની પીચકારીઓ તો વેપારીઓ એ મંગાવી છે પણ બજારમાં ધરાકી ના હોવાથી વેપારીઓ મુંઝાયા છે. સાવ નવરાધૂપ વેપારીઓ પોતાની દુકાન માં નવરા બેઠા જોવા મળી રહયા છે. માણાવદર ની બજારમાં અવનવી પીચકારીઓ ના સ્ટોલ તો જોવા મળે છે પણ બજારમાં મંદી હોવાનું વેપારીઓ જાણવી રહયા છે. ખાસ તો પાકા રંગોથી ના રમવું અને અબીલ ગુલાલથી રમવા વેપારીઓ એ અનુરોધ કર્યો છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.