Western Times News

Gujarati News

‘ચારેય મહાનગરોમાં જરૂરી તમામ ચીજો મળશે, Shutdown નથી: CM

File

અમદાવાદ : ચીનથી નીકળેલા કોરોના વાયરસે ધીમે ધીમે આખા વિશ્વને પોતાના ઝપટમાં લઈ લીધું છે. ત્યારે ભારતમાં પણ હવે ધીમે ધીમે કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. સાથે સાથે ગુજરાતમાં પણ કોરોના વાયરસ પોઝિટીવના કેસ વધવા લાગ્યા છે ત્યારે રાજ્ય સરકાર  દ્વારા મખ્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. 22મી માર્ચે જનતા કર્ફ્યૂ છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના મુખ્ય ચાર શહેરોને આંશિક બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ બંધના સંદર્ભમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એ આજે રાજ્યની પ્રજાજોગ સંબોધન કર્યુ. સીએમ રૂપાણીએ ફેસબુકના માધ્યમથી રાજ્યને સંબોધતા કહ્યું કે ‘આ ચાર દિવસ દરમિયાન વેપારીઓ-ઉદ્યોગકારો સંસ્થાઓ બંધ પાળે અને જરૂર સિવાય કોઈ બહાર ન નીકળે. ચારેય મહાનગરોમાં તમામ જરૂરી સુવિધા શરૂ રહેશે.

આગામી 25મી તારખી સુધી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત શહેરને આંશિક બંધ કરવાનો નિર્ણય કરાયો છે. આ સાથે જ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ 25 માર્ચ સુધી વેપાર ધંધા બંધ રાખી વેપારીઓને કોરોના સામે લડવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અપીલ કરી છે.

સીએમ રૂપાણીએ રાજ્યને જણાવ્યું છે કે ’25મી માર્ચ સુધી મહાનગરોના વેપાર-ધંધા બંધ રહે તો નાગરિકોની અવર જવર ઘટશે અને એકબીજાને સંક્રમિત થતા અટકાવી શકાશે. વેપારીઓ-ઉદ્યોગકારો સરકારને સહયોગ આપે. જીવન જરૂયિતાની તમામ ચીજો શહેરોમાં મળશે. અમૂલ સાથે પરામર્શ થયો છે દૂધના ઉત્પાદનમાં સહેજ પણ અછત નથી. શાકભાજી, અનાજ-કરિયાણું બધું જ મળી રહેશે. તમામ જરૂરી સેવાઓ શરૂ રખાશે’


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.