સ્વદેશી ઉત્પાદનકારો અને દાતાઓને બદનામ કરવાના કોંગ્રેસનાં પ્રયાસો નિંદનીય છે.– ભરત પંડયા

ગાંધીનગર, ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડયાએ જણાવ્યું હતું કે, ધમણ-૧ વેન્ટીલેટર્સ સંદર્ભમાં સરકાર સામે કોંગ્રેસ જૂઠા આક્ષેપો સામેનો જવાબ નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલે અને સમગ્ર આરોગ્ય વિભાગના અધિકારીઓએવિગતવાર મિડીયા સમક્ષસત્ય હક્કિતો રજૂ કરી છે. કોંગ્રેસના આ આક્ષેપો બેબૂનિયાદ છે. સ્વદેશી ઉત્પાદનકારો અને દાતાઓને બદનામ કરવાના કોંગ્રેસનાં પ્રયાસો નિંદનીય છે. કોંગ્રેસના જૂઠ્ઠા આક્ષેપોને ભાજપ સખ્ત શબ્દોમાંવખોડી કાઢે છે.
પંડયાએ જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં વેન્ટીલેટરની તીવ્ર અછત છે. હમણાં જ અમેરીકાના પ્રમુખશ્રી ડોનાલ્ડ ટ્રમ્પે ૨૦૦ વેન્ટીલેટર્સ ભારતને આપવાની વાત કરી છે. ગુજરાતની એક જયોતિ કંપનીએ કોરોનાના દર્દી માટે ૮૬૬ વેન્ટીલેટર વિના મુલ્યે આપીને ‘જનસેવા’ અને ‘દેશસેવા’નું ઉત્તમ ઉદાહરણ પાડી રહ્યાં હોય ત્યારે તેમાં વિવાદ ન હોવો જોઈએ. આ કંપનીને તેના વેન્ટીલેટરને ભારત સરકારની ત્રણ અધિકૃત કંપનીઓ (૧) નેશનલ એક્રેડીટેશન બોર્ડ ફોર લેબોરેટરીઝ(૨) ઇલેક્ટ્રોનિક એન્ડ ક્વાલિટી ડેવલપમેન્ટ સેન્ટર (૩)ઇન્ટરનેશનલ ઇલેક્ટ્રિક સર્ટીફીકેશન દ્વારા ધમણ-૧ને વેન્ટિલેટર તરીકે પ્રમાણીત કરીને સેફટી એન્ડપર્ફોર્મન્સ ટેસ્ટ એટલે કે ઇલેક્ટ્રિકલ સેફ્ટી અને મિકેનિકલ સેફ્ટીમાં ધારાધોરણ મુજબનું જાહેર કર્યું છે.
ત્યારે કોંગ્રેસના આરોપો પાયાવિહોણા છે. પંડયાએ જણાવ્યું હતું કે, પોંડીચેરીની સરકાર દ્વારા પણ ૨૫ વેન્ટીલેટર્સના ઓર્ડર આપ્યાં છે, મહારાષ્ટ્ર સરકાર માટે પણ એક ખાનગી દાતાએ ૨૫ વેન્ટીલેટર્સ માટે ઓર્ડર આપ્યાં છે. કોંગ્રેસને આમાં શું વિવાદ લાગે છે ? કોંગ્રેસના વિચારો, નિવેદનો અને કાર્યક્રમોમાં હંમેશા જનહિત અને દેશહિત વિરોધી હોય છે.
કોંગ્રેસ કોઈપણ મુદ્દે વિવાદ, ઉશ્કેરાટ, અપપ્રચાર, અરાજકતા ફેલાવવાનો સતત પ્રયાસ કરે છે. પરંતુ ગુજરાત કે દેશની જનતા તેને કયારેય સમર્થન આપ્યું નથી. એટલે “કોંગ્રેસ આખી પાર્ટી જ વેન્ટીલેટર પર છે.સેવા કરનારા લોકોનું અને કોરોના વોરીયર્સનું સન્માન કરવું જોઈએ અને સન્માન ન કરે તો કાંઈ નહીં પણ કોંગ્રેસે તેઓને બદનામ કરવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. તેમશ્રી પંડયાએ અંતમાં જણાવ્યું હતું.