Western Times News

Gujarati News

પેટલાદ : કર્મકાંડી ભૂદેવો દ્વારા આવેદનપત્ર

પેટલાદ: પેટલાદ શહેર અને તાલુકામાં કર્મકાંડના કામ સાથે સંકળાયેલ ભૂદેવો દ્વારા આજરોજ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ.  છેલ્લા અઢી મહિનાથી ચાલી રહેલ લોકડાઉનમાં આવકનો કોઈ †ોત નહી રહ્યો હોવાને કારણે ગુજરાન ચલાવવુ અસહ્ય બની પડ્યું હોવાથી સરકાર દ્વારા સહાય અને રાહત આપવા આ આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ.

મળતી માહિતી મુજબ પેટલાદ શહેર અને તાલુકાના કર્મકાંડી ભૂદેવો ગુજરાત કર્મકાંડ મંચ સાથે સંકળાયેલ છે. આ કર્મકાંડી ભૂદેવો દ્વારા આજરોજ પેટલાદ મામલતદારને આવેદનપત્ર આપતા રજૂઆત કરવામાં આવી હતી કે કોરોના વાયરસની મહામારીને કારણે કર્મકાંડનું કામકાજ સદંતર બંધ છે. કોઈપણ પ્રકારના શુભ પ્રસંગો, વિધિ જેવુ કોઈ જ કામ નહિ મળવાને કારણે આવક સ્થગિત થઈ ગયેલ છે. સરકાર દ્વારા અનેક પ્રકારની સહાય અને રાહત પેકેજ દરેક માટે જાહેર કરવામાં આવ્યા છે. પરંતુ કર્મકાંડી ભૂદેવો માટે કોઈ જ પ્રકારની સહાય કે રાહત અમોને લોકડાઉન દરમિયાન મળેલ નથી કે સરકાર દ્વારા જાહેર પણ નથી કરી.

આગામી દિવસોમાં પણ કર્મકાંડનું કોઈ કામ શરૂ થાય તેવી શક્યતાઓ દેખાતી નથી. જેથી આ કર્મકાંડી બ્રાહ્મણોએ ત્રણેક મહિના સુધીનું વિજળી બિલ, ગેસ બિલ તથા અન્ય વેરાઓ માફ કરવાની માંગણી કરી છે. ઉપરાંત છ મહિના સુધીનું અનાજ તથા રોકડ રકમની આર્થિક સહાય તથા રાહત આપવા આ આવેદનપત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.