Western Times News

Gujarati News

અમદાવાદના કોરોનાના દર્દીઓને અન્ય જીલ્લામાં ખસેડાશે

અમદાવાદ, ગુજરાતમાં કોરોનાની મહામારી બેકાબુ બની રહી છે. રોજના પ૦૦ થી પ૦૦ સરેરાશ કેસ નોંધાઈ રહ્યાં છે. અમદાવાદ, વડોદરા, સુરતમાં લોકડાઉન પછી કેસોમાં ઉછાળો આવ્યો છે. રાજ્યમાં પ્રતિ કલાકે ર૦ જેટલા કેસો નોંધાઈ રહ્યાં છે. સતત વધતા જતા કેસોથી સરકાર ચિંતિત થઈ છે. તો વધતા જતા કેસોને લઈને કોવિડ હોસ્પિટલો હાઉસફુલ થઈ જતા નવા દર્દીઓને ક્યાં રાખવા તેને લઈને દ્વિધાભરી સ્થિતિ સર્જાઈ છે. કોવિડ હોસ્પિટલો હાઉસફુલ થઈ જતાં કોરોના દર્દીઓને આસપાસના જીલ્લાઓમાં ખસેડવા પડે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે.

બીજી તરફ કોરોનાનો ફેલાવો ગ્રામ્ય વિસ્તાર સુધી જાવા મળી રહ્યો છે. ૧પ જીલ્લાઓમાં ૧૦૦થી વધુ કેસોનો આંકડો બહાર આવ્યો છે. અમદાવાદ, વડોદરા, સુરતમાં કોરોનાના કેસોમાં અચાનક ઉછાળો આવ્યો છે. રાજ્ય સરકાર તરફથી કોરોના સામે મક્કમતા પૂર્વક લડાઈ લડવામાં આવી રહી છે. તેમ છતાં કેસો વધી રહ્યાં છે તે હકીકત છે અને તેથી જ કેન્દ્રીય ટીમ આગામી નજીકના દિવસોમાં ગુજરાત આવી રહી છે અને તે અમદાવાદ, વડોદરા તથા સુરતની મુલાકાત લેશે.

અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો વધતા સરકાર તરફથી અનેક પ્રકારના પગલાં લેવાઈ રહ્યાં છે. અનલોક-૧માં લોકડાઉનના સમયગાળા કરતા કેસમાં નોંધપાત્ર પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. તેની આંકડાકીય વિગતો પણ પ્રસિધ્ધ થઈ રહી છે. એક અહેવાલ પ્રમાણે રાજ્યમાં રોજના ૪૦૦ થી પ૦૦ કેસો નોંધાઈ રહ્યાં છે. તેમાંથી ૭૦ થી ૮૦ ટકા કેસ અમદાવાદ જેવા શહેરમાં નોંધાયા છે. કાળમુખા કોરોનાના ખપ્પરમાં અનેક નાગરિકો હોમાઈ રહ્યાં છે. શહેરની કોવિડ હોÂસ્પટલો હાઉસફુલ થઈ જતા દર્દીઓને અમદાવાદની આસપાસના જીલ્લાઓમાં ખસેડવામાં આવે તે પ્રકારની ચર્ચા વ્યાપક બની છે.

ખાસ કરીને દર્દીઓને ગાંધીનગર, મહેસાણા તથા બોટાદ ખસેડવાનો તખ્તો ઘડાઈ રહ્યો છે.એક તરફ અમદાવાદ, વડોદરા, સુરત જેવા શહેરોમાં કોરોનાના કેસોમાં ઉછાળો આવી રહ્યો છે. તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના કેસો વધતા ફફડાટ ફેલાયો છે. રાજ્યના લગભગ ૩૩ જીલ્લાઓમાં કોરોનાના કેસો વધતા ઓછા પ્રમાણમાં જાવા મળી રહ્યાં છે. ૧પ જીલ્લાઓમાં તો ૧૦૦ જેટલા કેસો નોંધાયા છે. શહેરો પછી ગામડાઓ કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.