યાત્રાધામ શામળાજીમાં કોરોનાનો સૌપ્રથમ કેસ નોંધાતા ભક્તોમાં ફફડાટ

પવિત્રયાત્રાધામ શામળાજી માં કોરોના વાયરસ નો કેસ આવતા આદિવાસી સમાજ ના આશીર્વાદ સમાન શામળાજી રેફરલ હોસ્પિટલમાં કામ કરતા કર્મચારીઓ ને કોરોના ની ઝપટમાં આવતા ગ્રામ્ય વિસ્તારની પ્રજા માં ખોફ પ્રસરેલ છે યાત્રાધામ શામળાજી માં આવેલ રેફરલ હોસ્પિટલમાં ડ્રેસર તરીકે કામગીરી બજાવી રહેલ કમૅચારીને કોરોના પોઝિટિવ આવતાં હોસ્પિટલ ના કમૅચારીઓ તથા ડોક્ટર તથા સ્ટાફ માં ગભરાટ ફેલાઇ ગયો હતો કોરોના પોઝિટિવ આવતાં રેફરલ હોસ્પિટલ ત્રણ દિવસ માટે બંધ કરવામાંઆવી છે રેફરલ હોસ્પિટલ ના ત્રણ ડોક્ટર સ્વયં આઈશોલેશન થઈ ગયા હતા
સવારથી જ જિલ્લા આરોગ્ય ની ટીમ રેફરલ હોસ્પિટલમાં આવી હતી અને આ કમૅચારી ના સંપર્કમાં આવેલ લોકોની યાદી બનાવી તપાસ હાથ ધરી છે આમ યાત્રાધામ શામળાજી માં કોરોના નો પહેલો કેસ આવતા ગ્રામ્ય વિસ્તારની હજારો ગરીબ આદિવાસી સમાજ ના લોકો આ હોસ્પિટલમાં સારવાર લેવા આવતા હોવાથી પ્રજા માં ભય અને ગભરાટ ફેલાયો હતો રેફરલ હોસ્પિટલને સેનેટાઈઝ કરવાની કામગીરી હાથધરી છે કેટલાય લોકો ને આ ડ્રેસર દ્વારા ડ્રેસિંગ તેમજ સ્થાનિક સ્ટાફ અને જનતા ને સંક્રમિત કર્યા હશે અને હવે કેટલાય લોકો આ રોગચાળા ની ઝપટમાં આવશે તેની આજે તો જિલ્લા ભર માં ચર્ચાઓ વચ્ચે જીવલેણ કોરોના નો પ્રથમ કેસ આવતા ગરીબ જનતા માં ભય નો માહોલ ઉભો થયો છે