Western Times News

Gujarati News

ગૌતમ ગુલાટીએ એકતા કપૂર પર લગાવ્યો ગંભીર આરોપ

મુંબઈ: સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં આરોપ-પ્રત્યારોપ ચાલી રહ્યા છે. સુશાંતના મોતથી નેપોટિઝમની સાતે ઈન્ડસ્ટ્રીઝમાં ઈનસાઈડર-આઉટસાઈડર અને ગોડફાધર અંગે પણ ચર્ચા શરૂ થઈ છે. અનેક ટીવી એક્ટર્સે માન્યું છે કે બોલિવુડમાં નેપોટિઝમ છે અને બહારથી આવેલા એક્ટરને ઘણું સ્ટ્રગલ કરવું પડે છે.

‘વર્જિન ભાનુપ્રિયા’ ફેમ એક્ટર ગૌતમ ગુલાટીએ પણ આ વાત માની છે. ગૌતમ ગુલાટીએ પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત ટીવીથી જ કરી હતી. તેણે અનેક ડેલી શોપ્સમાં કામ કર્યા બાદ ‘બિગ બોસ-૮’માં આવવાની તક મળી અને તે વિનર પણ બન્યો.

ગૌતમ ગુલાટીએ બોલિવુડમાં ઈનસાઈડર-આઉટસાઈડર અને ટીવી સ્ટ્રગલ અંગે ખુલીને વાત કરી. સાથે તેણે એ પણ જણાવ્યું કે કેવી રીતે તેણે ૧૩ વર્ષ સુધી સંઘર્ષ કર્યો.

ગૌતમે કહ્યું કે ‘એકતા કપૂરના બાલાજી સાથે ૩ ફિલ્મોની ડીલ થઈ હતી. હું ખુબ ખુશ હતો પરંતુ જ્યારે પહેલી ફિલ્મમાં જ તેનો રોલ કાપી નાંખવામાં આવ્યો તો તે નિરાશ થઈ ગયો હતો. તેને લાગ્યું કે આ શું થઈ રહ્યું છે તેની સાથે. પહેલી ફિલ્મ બાદ હું ફોન કરતો રહ્યો પરંતુ કોઈ જવાબ ન મળ્યો. આખરે હારીને મેં કોન્ટ્રક્ટ તોડી દીધો.’

ગૌતમ માને છે કે ફિલ્મ બિઝનેસમાં ટ્રાન્સપરન્સી સાથે કામ કરવું જાેઈએ. ગૌતમનું કહેવું છે કે, ‘જ્યારે કોઈ કામમાં દગો આપે છે ત્યારે આર્ટિસ્ટનું દિલ તૂટી જાય છે. આ પૈસાની વાત નથી. હું સારું કામ કરવા માંગતો હતો, પૈસા મારા માટે એટલા મહત્વના નહોતા. મેકર્સે યંગ એક્ટર્સ અને આઉટસાઈડરનું ધ્યાન રાખવું જાેઈએ.’

હવે ગૌતમ ગુલાટી સલમાન ખાન સાથે ફિલ્મ ‘રાધે’માં કામ કરી રહ્યો છે, જેના માટે તે ખુબ જ ઉત્સાહિત છે. ગૌતમનું કહેવું છે કે, ‘હવે હું સલમાન ખાન ફિલ્મ્સ સાથે કામ કરી રહ્યો છું. ૧૩ વર્ષની મહેનત બાદ પોતાને સિક્યોર અનુભવી રહ્યો છું.  સલમાન ખાને મારી ટેલેન્ટ પર વિશ્વાસ વ્યક્ત કર્યો. સલમાન ખાન એક હેલ્પિંગ હેન્ડ જેવો અનુભવ કરાવે છે. તેઓ મને એક પાર્ટીમાં મળ્યાં હતા અને તેમણે ફિલ્મની ઓફર આપી. બીજા દિવસે કોલ આવી ગયો અને ચોથા દિવસે તો ફિલ્મના શૂટિંગ પર હતો. આમ એક જ અઠવાડિયામાં તેમણે મારી લાઈફ ચેન્જ કરી દીધી.’


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.