Western Times News

Gujarati News

સુશાંત મારા પરિવારનો એક ભાગ છેઃ ચિરાગ પાસવાન

નવી દિલ્હી: એલજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ ચિરાગ પાસવાને બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા મામલે વિશે તેમણે કહ્યું કે, મેં આ સમગ્ર મામલે મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે ફોન પર વાત કરી છે. ચિરાગે કહ્યું કે, મુખ્યપ્રધાને મને ખાતરી આપી છે કે, આ ઘટના પાછળ જે પણ હશે તેને બક્ષવામાં આવશે નહીં. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

ચિરાગે કહ્યું કે, મેં આ મામલે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન પાસે માગ કરી છે કે, સમગ્ર ઘટનાની સીબીઆઈ તપાસ થવી જાેઈએ. આ અંગે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, જ્યારે પણ મને લાગશે કે સીબીઆઈ તપાસની જરૂર છે ત્યારે હું જાતે જ સીબીઆઈ તપાસનો આદેશ આપીશ. ચિરાગે વધુમાં જણાવ્યું હતું કે, આખું બિહાર સત્ય જાહેર થાય તેવું ઇચ્છે છે. જે લોકો આ ઘટના પાછળ છે તેમને સજા કરવામાં આવે.

ચિરાગે કહ્યું કે, હું પણ બોલિવુડનો ભાગ રહ્યો છું. ત્યાં નેપોટિઝમ છે. સુશાંત સિંહ રાજપૂતને આત્મહત્યા માટે કોણે ઉશ્કેર્યો ? તેણે આત્મહત્યા કેમ કરી તેનો આ આખો મામલો જલ્દીથી જનતાનો ખબર પડવો જાેઈએ. ચિરાગે આ મામલે બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમાર પર મોટો હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે, બિહારના મુખ્યપ્રધાન નિતીશ કુમાર સુશાંત રાજપૂત આત્મહત્યા મામલે મૌન છે. તે ચિંતાનો વિષય છે. ત્યારે ઝડપી તપાસ માટે બિહાર સરકારે મહારાષ્ટ્ર સરકાર ઉપર દબાણ લાવવું જાેઈએ. ચિરાગ પાસવાને કહ્યું છે કે, સુશાંત રાજપૂતના પિતાએ પટનામાં અભિનેત્રી રિયા ચક્રવર્તી વિરૂદ્ધ એફઆઈઆર નોંધાવી છે. હવે બિહારથી પોલીસની ટીમ મુંબઇ જઇ રહી છે. મને લાગે છે કે આ મામલો થોડો સ્પષ્ટ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.