ઝઘડિયાના લીંભેટ ગામે દિયરે જમવા બાબતે ભાભી ભાઈ અને ભત્રીજા પર હુમલો કર્યો
જમવાનું હમણાં બને છે થોડીવાર પછી આવજે તેમ પિતરાઈ ભાઈ લએ કહેતા દિયર એકદમ ઉશ્કેરાઈ જઈ લાકડીના સપાટા વડે ત્રણેય ને માર્યા.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ઝઘડિયા તાલુકાના લીંભેટ ગામે દિયરે ભાભી પાસે જમવાનું માંગતા પિતરાઈ ભાઈએ જણાવેલ કે ભાભી જમવાનું બનાવે છે થોડીવાર પછી આવજે તેમ કહેતાં દિયર એકદમ ઉશ્કેરાઇ જઈ લાકડીના સપાટા મારી ભાભી,ભાઈ અને ભત્રીજાને માથાના ભાગે ઈજા કરતા લોહી લુહાણ થયા હતા.જેથી પિતરાઈ ભાઈએ તેના ભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ઝઘડિયા તાલુકાના લીંભેટ ગામે રહેતા અર્જુન ગંભીરભાઈ વસાવા ધંધો તેમજ મજુરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.ગતરોજ અર્જુનનો પિતરાઈ ભાઈ મહેશ તેના ઘરે આવેલો અને જમવાનું માંગતો હતો જેથી અર્જુનભાઈ જણાવેલ કે તારી ભાભી જમવાનું બનાવે છે થોડીવાર પછી આવજે. મહેશ અર્જુનના ઘરના આંગણામાં ઉભો રહી માં બેન સમાણી ગાળો બોલતો હતો જેથી અર્જુને ગાળો બોલવાની ના પાડી હતી.મહેશ એકદમ ઉશ્કેરાઈ જઈ તેના ઘર માંથી લાકડીનો સપાટો લઈ આવી અર્જુનને માથાના ભાગે કાન પાસે સપાટો મારી નીચે પાડી દીધો હતો. જેથી તેની પત્ની તેને છોડાવવા આવતા તેને પણ તેના દિયર મહેશે માથાના ભાગે કાન પાસે સપાટો મારી દેતા લોહી નીકળ્યું હતું.ત્યાર બાદ અર્જુનનો છોકરો કાર્તિક પણ તેના મા-બાપને છોડાવતાં મહેશે કાર્તિકને પણ ખભાના ભાગે સપાટો મારી દીધો હતો.ઈજાગ્રસ્તોને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે વાલીયા સરકારી દવાખાના લઈ ગયા હતા.આ ઘટના બાબતે અર્જુન ગંભીરભાઈ વસાવાએ તેના પિતરાઈ ભાઈ મહેશ રમેશ વસાવા વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ઝઘડિયા તાલુકાના લીંભેટ ગામે રહેતા અર્જુન ગંભીરભાઈ વસાવા ધંધો તેમજ મજુરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.ગતરોજ અર્જુનનો પિતરાઈ ભાઈ મહેશ તેના ઘરે આવેલો અને જમવાનું માંગતો હતો જેથી અર્જુનભાઈ જણાવેલ કે તારી ભાભી જમવાનું બનાવે છે થોડીવાર પછી આવજે. મહેશ અર્જુનના ઘરના આંગણામાં ઉભો રહી માં બેન સમાણી ગાળો બોલતો હતો જેથી અર્જુને ગાળો બોલવાની ના પાડી હતી.મહેશ એકદમ ઉશ્કેરાઈ જઈ તેના ઘર માંથી લાકડીનો સપાટો લઈ આવી અર્જુનને માથાના ભાગે કાન પાસે સપાટો મારી નીચે પાડી દીધો હતો. જેથી તેની પત્ની તેને છોડાવવા આવતા તેને પણ તેના દિયર મહેશે માથાના ભાગે કાન પાસે સપાટો મારી દેતા લોહી નીકળ્યું હતું.ત્યાર બાદ અર્જુનનો છોકરો કાર્તિક પણ તેના મા-બાપને છોડાવતાં મહેશે કાર્તિકને પણ ખભાના ભાગે સપાટો મારી દીધો હતો.ઈજાગ્રસ્તોને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે વાલીયા સરકારી દવાખાના લઈ ગયા હતા.આ ઘટના બાબતે અર્જુન ગંભીરભાઈ વસાવાએ તેના પિતરાઈ ભાઈ મહેશ રમેશ વસાવા વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.