(એજન્સી)અમદાવાદ, શિયાળાની ગુલાબી ઠંડીમાં થોળ તળાવનો નજારો કંઈક અલગ જ હોય છે. અહીં પાણી અને આકાશ બંને પક્ષીઓથી ભરાઈ જાય...
Gujarat
(એજન્સી)જુનાગઢ, સિંહ ક્યારે માનવોનો શિકાર કરતા નથી, ન તો માણસો પર હુમલો કરે છે. ગીરના જંગલમાં સિંહો અને માણસો અરસ-પરસ...
એજન્સી) કલોલ, ગાંધીનગરના કલોલમાં જૂની અદાવતમાં ૫ શખસોએ તલવાર, લોખંડની પાઈપ સહિતના હથિયાર વડે હુમલો કરીને એક વ્યક્તિની ધાતકી હત્યા...
પશુપાલક શ્રી ગોપાલભાઈ રબારીની દેશી ગાયને દોહી ભારતીય સંસ્કૃતિમાં ગાયના મહત્વને ઉજાગર કરતા રાજ્યપાલ રાજ્યપાલશ્રીએ ખેડૂતશ્રી નટુભાઈ લવજીભાઈ રોહિતના ઘરે રાત્રી ભોજન લઈ સામાજિક સમરસતા આપ્યો દાખલો રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના પલોલ ગામની મુલાકાત લઈ ગ્રામીણ સંસ્કૃતિને માણી હતી. રાજ્યપાલશ્રીએ પલોલ ગામના ખેડૂતો, પશુપાલકોની મુલાકાત લઈ સ્વચ્છતા,પશુપાલન અને પ્રાકૃતિક ખેતી વિષયો પર વાતચીત કરી હતી. રાજયપાલશ્રીએ પલોલ ગામના પશુપાલક અને ખેડૂત શ્રી ગોપાલભાઈ રબારીની દેશી ગાયને દોહી ભારતીય સંસ્કૃતિમાં ગાયના મહત્વને ઉજાગર કર્યું હતુ. તેમણે ગોપાલભાઈ દ્વારા કરવામાં આવતા ગૌ સંવર્ધનનું પ્રત્યક્ષ નિદર્શન કર્યું હતું. આ ઉપરાંત તેમણે પલોલ ગામમાં પશુપાલન વ્યવસાય બાબતે વાતચીત કરી હતી. સાથે જ પ્રાકૃતિક કૃષિમાં દેશી ગાયના મહત્વ વિશે પણ માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં રાજ્યપાલશ્રીએ પલોલ ગામે સામાજિક સમરસતાની મિશાલ આપતા ગ્રામીણ શ્રી નટુભાઈ લવજીભાઈ રોહિતના ઘરે રાત્રી ભોજન લીધું હતું. રાજ્યપાલશ્રીને દાળ ભાત, તુવેર પાપડીનું શાક, રોટલી અને દૂધ પીરસવામાં આવ્યું હતું. ભોજન દરમિયાન રાજ્યપાલશ્રીએ વડીલ સહજભાવે પરિવારની વિગતો મેળવી પરિવારના બાળકોને ભણી ગણીને ઉજ્જવળ ભવિષ્ય બનાવવા પ્રેરણા પૂરી પાડી હતી.. રાજ્યપાલશ્રીએ આતિથ્ય સત્કાર બદલ પરિવારનો આભાર માન્યો હતો.. આ ઉપરાંત રાજ્યપાલશ્રીએ નટુભાઈના આડોશ પડોશમાં રહેતા લોકો સાથે પણ ચર્ચા કરીને તેમની સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના પલોલ ગામની મુલાકાતે પધારેલા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ગ્રામજનો સાથે મળી સફાઈ કરી હતી. રાજ્યપાલશ્રીએ ઝાડું લગાવી ગ્રામજનોને સ્વચ્છતાનું મહત્વ સમજાવી સ્વચ્છ ભારતનો સંદેશ આપ્યો હતો સાથે જ ગામના સફાઈ કર્મીઓનું પણ જાહેરમાં સન્માન કરી તેમનો ઉત્સાહ વધાર્યો હતો. આ તકે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ સ્વચ્છતા, વ્યસનમુક્તિ, સામાજિક સમરસતા, આરોગ્ય, પર્યાવરણ અને પ્રાકૃતિક ખેતી જેવા મુદ્દાઓ પર જનજાગૃતિ વધે તેવું સૂચન કર્યું હતું.. રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે આજે ભણેલા ગણેલા લોકોમાં વ્યસનનું પ્રમાણ વધવું એ ચિંતાજનક બાબત છે. જો મોટા લોકો સ્વયં સારા કામો કરશે તો નાના બાળકોમાં સુટેવો કેળવાશે. આચાર્યશ્રી દેવવ્રતજીએ પલોલને સ્વચ્છ ગ્રામ બનાવવા સૌ ગ્રામજનોને કાર્યાન્વિત થવા અપીલ કરી હતી. આ માટે ગામની પ્રત્યેક શેરી દીઠ સ્વચ્છતાની ટુકડીઓ બનાવી આયોજન પ્રમાણે કામ કરવા સૂચન કર્યું હતું.
અમદાવાદ, ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ કાંડમાં ડો. સંજય પટોળિયા અને રાજશ્રી કોઠારીની ડિસ્ચાર્જ અરજી અમદાવાદ ગ્રામ્ય કોર્ટના ડિસ્ટ્રીકટ જજ કે. એમ....
અમદાવાદ, રાજ્ય અને દેશના વિવિધ વેટલેન્ડ્સના સંવર્ધન અને સંરક્ષણ માટે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ હાઇકોર્ટમાં સુઓમોટો રિટ પિટિશન દાખલ કરવામાં...
આણંદ, આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના સાંઠ ગામમાંથી ગુરૂવારે ડીગ્રી વગરના બે બોગસ ડોક્ટરોને ખાનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને તારાપુર પોલીસની...
નડિયાદ, નડિયાદ ટાઉન પોલીસે ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ અંતર્ગત સાયબર ક્રાઈમ આચરતા નેટવર્ક પર તરાપ મારીને એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યાે...
મહેસાણા , મહેસાણાના મેઉ નજીક આવેલા બાદલપુરા ગામનું દંપતી ગત ૨૯ નવેમ્બરે ત્રણ વર્ષની બાળકી સાથે પોર્ટુગલ જવા નીકળ્યું હતું...
આણંદ, આણંદના તારાપુર તાલુકાના આદરૂજ ગામના અને હાલ આણંદના મોગરી ગામમાં રહીને ખેતી કરી જીવન ગુજરાન ચલાવતા યુવક સાથે ઠગાઈ...
⭐⭐⭐⭐ રેટિંગ: 4 / 5 અમદાવાદ, ગુજરાતી સિનેમામાં ભાગ્યે જ જોવા મળતી, સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મ 'જીવ' દર્શકોના...
માત્ર હ્યુમન ઇન્ટેલિજન્સનો જ નહીં, ટેક્નિકલ સર્વેલન્સનો પણ અસરકારક ઉપયોગ કરીને ૪૧ આરોપીઓને પકડવામાં ગુજરાત પોલીસે ખૂબ મોટી જહેમત ઉઠાવી છે:...
પશુપાલન મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની સૂચનાથી પશુપાલન વિભાગની એક ઉચ્ચ-સ્તરીય ટીમ ઘટનાસ્થળે જવા રવાના Ø હાલમાં ગૌશાળાની બાકીની ગાયોને ૧૬ નિષ્ણાત...
સુરત મહાનગરપાલિકા અને સુડાના રૂ.ર૪૯ કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને રૂ.૧૦૯.૫૧ કરોડના કામોનું ખાતમુહૂર્ત અર્બન રિંગ ડેવલપમેન્ટ કૉર્પોરેશન લિ. (URDCL)ના અંદાજિત...
એન્જિનિયરિંગ-પાવર-ઓટો-ઓઈલ-ગેસ સેક્ટરના પવનચક્કી -બ્રાસ પાર્ટસ-ઈ વેસ્ટ રીસાયકલીંગ ક્ષેત્રોમાં થનારી નક્કર કામગીરી જામનગર, : વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કનેક્ટ (VGRC) શૃંખલા અંતર્ગત...
ઘટનાસ્થળે હાજર કામ કરી રહેલા ૫ શ્રમિકોને ઇજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે: બનાવમાં કોઇ જાનહાનિ નહીં વલસાડ ગુંદલાવ ખેરગામ રોડ પર હાઈલેવલ બ્રિજની કામગીરી દરમિયાન બ્રિજ ઉપર સ્ટેજીંગ નમી જવાનો બનાવ બનતા માર્ગ અને મકાન પેટા વિભાગ-વલસાડના નાયબ કાર્યપાલક ઈજનેરશ્રીએ ઈજારદાર રોયલ ઈન્ફ્રા એન્જિનીયરીંગ પ્રા.લિ.ને ખુલાસો કરવા તાકીદ કરી હોવાનું કાર્યપાલક ઇજનેર વલસાડ દ્વારા જણાવાયું છે. કાર્યપાલક ઇજનેર ના જણાવ્યા અનુસાર, આ બ્રિજમાં પીયર ક્રમાંક પી-૧ થી પી-૨ વચ્ચેની સુપરસ્ટ્રકચરની કામગીરીમાં ત્રણ ગર્ડર હતા, જેનું શટરીંગ થયું હતું. જેમાં સાઇટ ઇજનેર દ્વારા ગર્ડરની હોરીઝોન્ટલ લાઇનલેવલ માટે જરૂરી સૂચના આપવામાં આવી હતી, જે મુજબ તા.૧૨.૧૨.૨૦૨૫ના રોજ સવારે શ્રમિકો જેકની મદદથી ગર્ડરના સ્ટેજીંગને ઇજારદારના સાઇટ ઇજનેરના નિરીક્ષણ હેઠળ લાઇન લેવલ કરી રહ્યા હતા. જરૂરિયાત કરતા જેક વધુ ઉંચુ થતા ગર્ડર સ્લીપ થયું. જેના કારણે સરતચુકથી સ્ટેજીંગ પડી ગયું હતું. જેમાં ઘટનાસ્થળે હાજર કામ કરી રહેલા ૫ શ્રમિકોને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. આ બનાવમાં કોઇ જાનહાનિ થઈ નથી. ઇજારદાર દ્વારા પુલના બાંધકામનું તથા દરેક શ્રમિકોનું ઇન્સ્યોરન્સ લેવામાં આવ્યું છે, જે મુજબની કાર્યવાહી કરાશે. ઇજારદાર દ્વારા વધુ ઈજાગ્રસ્ત શ્રમિકને રૂ. બે લાખ તથા સામાન્ય ઈજાગ્રસ્ત શ્રમિકોને રૂ.એક લાખનું વળતર સ્વખર્ચે અપાયું છે. આ બનાવ માનવચૂકના કારણે બન્યો છે, જે અંગે માર્ગ અને મકાન વિભાગ વલસાડ દ્વારા ઇજારદારનો ખુલાસો માંગવામાં આવ્યો છે. તેમજ ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે તાકીદ કરવામાં આવી છે. વધુમાં માર્ગ અને મકાન વિભાગ સારા અને ગુણવત્તાયુક્ત કામો કરવા માટે કટિબદ્ધ છે. અને આ ઘટના જેવી અન્ય ઘટના ન બને તે માટે વધારે કાળજી દાખવવામાં આવશે એમ મકાન વિભાગ-વલસાડની યાદીમાં જણાવાયું છે.
સલામતી બજેટ 2013-14માં ₹39,463 કરોડથી લગભગ ત્રણ ગણું વધીને ₹1,16,470 કરોડ થયું ધુમ્મસ સલામતી ઉપકરણોમાં 288 ગણો વધારો થયો -...
હાલમાં રાજ્યના ૪.૧૨ કરોડથી વધુ નાગરીકોનો આ યોજનામાં સમાવેશ: છેલ્લા પાંચ વર્ષમાં ૧૬ હજાર કરતાં વધુ લાભાર્થીઓના પરિવારજનોને અંદાજે રૂ....
લકી અલીના જણાવ્યા મુજબ આ તેમની આખરી મોટી ટુર હોઈ શકે છે, દિલ્હી, જયપુર અને બેંગાલુરુમાં સફળ શૉ બાદ તેઓ હવે અમદાવાદના...
લીલિયા મોટામાં ભૂગર્ભ ગટરના રિપેરીંગ કામની સરપ્રાઈઝ વિઝિટ કરતા ડીડીઓ અમરેલી, લીલિયા મોટામાં કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલી ભૂગર્ભ ગટરનું...
(પ્રતિનિધિ)વલસાડ, વલસાડ શહેરના કૈલાશ રોડ ઉપર બ્રિજના નવ નિર્માણની કામગીરી દરમિયાન બાંધેલી પાલણ (બામ્બુ)નું સ્ટકચર તૂટી પડ્યું હોવાની ઘટના સામે...
(પ્રતિનિધિ) અમદાવાદ, દક્ષિણઝોનમાં ખોખરા વોર્ડમાં આવેલ હયાત ખોખરા રેલ્વે વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનના ઓગ્મેનટેશન ના ભાગરૂપે હયાત પાણી વિતરણ વ્યવસ્થા જાળવી...
ગુજરાતથી લઈને ઉત્તર પ્રદેશ-ઝારખંડમાં અનેક ઠેકાણે દરોડા (એજન્સી)અમદાવાદ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ આંતરરાષ્ટ્રીય કફ સિરપ સ્મગલિંગ સિન્ડિકેટ સામે મોટી કાર્યવાહી હાથ ધરી...
અમદાવાદ, અમદાવાદના સાયન્સ સીટી એરીયામાં આસ્થા બંગલોની બાજુમાં આવેલા પરિશ્રમ એલીગન્સ નામના કોમ્પ્લેક્સમાં વિકરાળ આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ટીમને...
(એજન્સી)અમદાવાદ, શહેરમાં રખડતા ઢોર અને રખડતા કૂતરાઓની સમસ્યા હજુ યથાવત છે, ત્યાં જ હવે કપિરાજના ઝુંડે નવા નરોડા વિસ્તારમાં આતંક...

