Western Times News

Gujarati News

લાંભા વોર્ડના પૂર્વ કાઉન્સિલર અને 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

લાંભા વોર્ડના પૂર્વ કાઉન્સિલર જશોદાબેન ઠાકોર અને પાંચસોથી વધુ કાર્યકર્તાઓ કોંગ્રેસના ઉમેદવાર મેહુલભાઇ ભરવાડ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના ડેલીગેટ રાજેશભાઇ સોની અને લાંભા વોર્ડ પ્રમુખ ઘનશ્યામસિંહ પરમારની હાજરીમાં કોંગ્રેસમાં જાેડાયા હતા

બીજી બાજુ ઇસનપુરમાંથી કોંગ્રેસના ૨૦૦થી વધુ કાર્યકરો ભાજપમાં સામેલ થયા 

અમદાવાદ, અમદાવાદ મ્યુનિકોર્પોરેશનની ચુંટણીમાં કોંગ્રેસ દ્વારા ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં ભારે નારાજગી જાેવા મળી છે અને કોંગ્રેસના કાર્યકરો પોતાનો ગુસ્સો વ્યકત કરી રહ્યાં છે અને રાજીનામા આપી રહ્યાં છે ત્યારે અમદાવાદમાં કોંગ્રેસને ચુંટણી પહેલા આંચકો લાગ્યો છે ઇસનપુર વિસ્તારના ૨૦૦થી વધુ કાર્યકરો ભાજપમાં સામેલ થઇ છે.

ભાજપ શહેર પ્રમુખ અને આગેવાનોની હાજરીમાં કોંગ્રેસના કાર્યકરોએ કેસરીયો ધારણ કર્યો હતો. બીજી તરફ વસ્ત્રાલ વોર્ડની કોંગ્રેસની પેનલે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવા દબાણ કરાયાનો આક્ષેપ કરાયો છે

અ મ્યુ કો. ના ઈસનપુર વોર્ડ ના મધ્યસ્થ કાર્યાલય નું ઉદ્ઘાટન જગન્નાથજી મંદિર ના મહંત શ્રી દિલીપદાસ જી મહારાજ ના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ કાર્યક્રમ માં પક્ષ ના અન્ય પદાધિકારી ઓ ની સાથે હાજરી આપી હતી.

ભાજપે ઉમેદવારોને દબાણ કર્યું હોવાનો આરોપ છે કોંગ્રેસીના ઉમેદવાર આશિષ પટેલે કહ્યું હતું કે ભાજપે મારા સગાસંબંધી અને મિત્રો દ્વારા ફોર્મ ખેંચવા માટે ૪ કરોડ રૂપિયાની ઓફર કરાઇ હતી આ ઉપરાંત ભાજપે ખોટા કેસ કરવાની ધમકી પોલીસ દ્વારા અપાવી છે.

કોંગ્રેસ માટે ટિકિટ વહેંચણી માથાનો દુખાવો બની ગઇ છે કાર્યકરો કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થઇ રહ્યાં છે અમદાવાદ ઉપરાંત રાજયમાં ઠેર ઠેર કોંગ્રેસના કાર્યકરોમાં નારાજગી છે અને કોંગ્રેસમાં ગાબડા પડી રહ્યાં છે અને કાર્યકરો ભાજપ કે એઆઇએમઆઇએમનો સાથે પકડી રહ્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.