Western Times News

Gujarati News

મોદીજી ખુબ બોલે છે જે બોલે છે તે કામ કરતા નથી : રાકેશ ટિકૈત

નવીદિલ્હી: ભારતીય કિસાન મોરચાના નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુબ બોલે છે જે બોલે છે તે કામ કરતા નથી ટિકૈતે એ પણ દાવો કર્યો કે વડાપ્રધાન કાર્યાલયના અધિકારી વડાપ્રધાનને ખોટા કાગળ પત્રો પકડાવી દે છે રાકેશ ટિકૈતે આ વાતો એક ખાનગી ટીવી ચેનલને આપેલ મુલાકાતમાં કહી હતી.ટિકૈત આ દરમિયાન ગાજીવુર બોર્ડરવાળા વિસ્તારમાં એક ટ્રેકટર પર સવાર હતાં જયારે તેમની સાથે ચેનલના બે પત્રકારો પણ હાજર હતાં પત્રકારો કિસાન આંદોલનને લઇ સવાલ પુછી રહ્યાં હતાં. પત્રકારે સવાલ કર્યો કે તમને નરેન્દ્ર મોદી કેવા નેતા લાગે છે.તેના જવાબમાં તેમણે કહ્યું કે મોંધવારી વધી તે બોલે છે વધુ જે કહે છે તે કામ કરતા નથી તેમને જે દસ્તાવેજ આપવામાં આવે છે તે ખોટા હોય છે પીએમઓથી જે પણ તેમના સંબંધિક અધિકારી હોય છએ તે તેમને ખોટા ડોકયુમેંટ આપી દે છે અને કંઇક તે પણ બોલે છે.

ટિકૈતે કહ્યું કે ભાજપને ખબર છે કે પરસ્પરમાં ત્યાં તોડફોડ થઇ રહી છે તેમણે કહ્યું કે આંદોલનમાં વિવધ પક્ષોના નેતાઓ આવી રહ્યાં છે તેમને અમે રોકી શકીએ નહીં સરકાર કહી રહી છે કે બે ત્રણ રાજયોને છોડી કોઇને વાંધો નથી જુની વ્યવસ્થા રહેશે સમગ્ર દેશ તમારા સમર્થનમાં નથી તેવા સવાલના જવાબમાં કિસાન નેતાએ કહ્યું કે અમે પણ કહી રહ્યાં છીએ કે એમએસપી પર કાનુન બનાવ્યા બાદ આસામના કિસાન પણ લાભાન્વિત થશે

જેણ કયારેય એમએસપી જાેયું નથી તે પણ પોતાના અનાજ તેના પર વેચશે તેમના ગોદામ પહેલા બની ગયા પરંતુ કાનુન બાદમાં આવ્યું સરકાર કોઇ કિસાન સંગઠનનને એડવાઇઝરી બોડી થોડી છે જે તેમની કહેલી વાતો પર ચાલે તેમણે કહ્યું કે લાઇવ બેઠક કરાવી દો અને તેઓ શું કહી રહ્યાં છે અને અમે શું કહી રહ્યાં છીએ તેમ થશે તો સમાધાન થઇ જશે શું

વડાપ્રધાનની સાથે આવા ટ્રેકટર પર બેસી વાત કરવાનું મન છે તો ટિકૈતે કહ્યું કે નહીં તેમને હાલ વચ્ચે આવવું જાેઇએ નહીં તેમની જે કમિટિ અને તેમના મંત્રી છે તે આવે સમજૂતિ થઇ જશે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.