Western Times News

Gujarati News

આસિમ રિયાઝ સિદ્ધાર્થના લીધે બિગ બોસ ૧૪માં ન આવ્યો ?

મુંબઈ: રિયાલિટી શો બિગ બોસ ૧૪ ખતમ થઈ ચૂક્યો છે. બિગ બોસ ૧૫ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પરંતુ આ વચ્ચે એક સવાલ એવો છે, જેનો જવાબ હજુ સુધી મળ્યો નથી. સવાલ એ છે કે બિગ બોસ ૧૪માં સિદ્ધાર્થ શુક્લા, હિના ખાન અને ગૌહર ખાન જેવા સીનિયર્સને બોલાવવામાં આવ્યા તો પછી આસિમ રિયાઝને કેમ નહીં? ચર્ચા તેવી પણ હતી કે શો મેકર્સે આસિમનો સંપર્ક કર્યો હતો. ફિનાલે એપિસોડ માટે પણ આસિમનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તે આવ્યો નથી. આ સિવાય તેવું પણ કહેવાય રહ્યું હતું કે, સિદ્ધાર્થ શુક્લાના કારણે આસિમે શોથી અંતર જાળવ્યું. આ સમગ્ર મામલે આસિમે મૌન તોડ્યું છે. તેણે જણાવ્યું છે કે, રિયલમાં શું થયું હતું.

બિગ બોગ ૧૩ના રનરઅપ રહેલા આસિમે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, હું બિગ બોસ ૧૩ના ઘરમાં ૧૪૦ દિવસ રહીને બહાર નીકળ્યો હતો અને થોડા દિવસ બાદ બિગ બોસ ૧૪ શરૂ થઈ ગયું. તેવામાં બીજીવાર અનુભવ કરવા માગતો હતો. આ મારી સ્ટાઈલ નથી. હું માત્ર જવા માગતો નહોતો. આસિમે આગળ કહ્યું કે, ‘મને ક્યારેય લાગ્યું નહીં કે મારે ત્યાં બીજીવાર જવું જાેઈએ. હું તે ઘરમાં ગયો અને ઘણું મેળવ્યું. હવે

હું કંઈક બીજુ કરવા માગુ છું. બિગ બોસ ૧૩ના ઘરમાં આસિમ રિયાઝ અને સિદ્ધાર્થ શુક્લા વચ્ચે ખૂબ ઝઘડા થયા હતા. બંને એક જ ઘરમાં દુશ્મનોની જેમ રહેતા હતા. બંને મારઝૂડ પર પણ ઉતરી આવ્યા હતા. શોમાં સિદ્ધાર્થ શુક્લા વિનર બન્યો હતો અને આસિમ રિયાઝ રનરઅપ.

ઈન્ડસ્ટ્રીમાં શરુઆતના દિવસોને યાદ કરતાં આસિમે કહ્યું કે, હું આજે તે જ રસ્તા પર ચાલુ છું જ્યાં હું લિફ્ટ લેતો હતો. પરંતુ આજે મારી પાસે પોતાની કાર છે. હું આ ઈન્ટરવ્યૂ કરી રહ્યો છું. પેશનને ફોલો કરી સરહ્યો છું. એક્ટિંગ અને પર્ફોર્મન્સ માટે મહેનત કરી રહ્યો છું. એક રેપર તરીકે કામ કરી રહ્યો છું. આસિમનું કહેવું છે કે, તે કોઈની સાથે સ્પર્ધામાં નથી. ‘હું રેપર નથી. હું માત્ર પ્રયાસ કરી રહ્યો છું કે સંગીત દ્વારા મારી કહાણી સંભળાવી શકું. હું કોઈ સ્પર્ધાના મૂડમાં નથી. માત્ર મારું જીવન જીવી રહ્યો છું. મને કોઈ ઉતાવળ નથી. જાે કોઈ વ્યક્તિ ફિલ્મ કરી રહ્યો છે તો તે સારી વાત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.