Western Times News

Gujarati News

બાળકને ૭ હજારમાં ગીરવે રાખી ઘેટાં ચરાવવા મોકલતા માલધારી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

અરવલ્લી શ્રમ અધિકારી ખુદ ફરિયાદી બન્યા 

૪ માર્ચના રોજ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવનાર ઘટના સામે આવી હતી.અરવલ્લી જિલ્લામાં 12 વર્ષના બાળકને સાત હજાર રૂપિયામાં વેચી દેવાની ઘટના પ્રકાશમાં આવી હતી.મોડાસાની અગમ સંસ્થા અને ટાસ્કફોર્સે 12 વર્ષના બાકનું રેસ્ક્યુ કર્યું હતું અને ત્યારબાદ અનેક ચોંકાવનારી વિગતો સામે આવી હતી.ગરીબ પરિવારના માતા-પિતાએ માત્ર સાત હાજરમાં બાળકને ગીરવે મૂકી દઈને બીમારીનો ઈલાજ કરાવવા પ્રયાસ કર્યો હતો.અરવલ્લી ચાઈલ્ડ વેલ્ફેર કમિટી અને બાદ સુરક્ષા અધિકરી દ્વારા બાળકને સુરિક્ષત રીતે કબજો મેળવી બાળકને હિંમતનગર ચાઈલ્ડ હોમમાં મોકલી આપ્યું હતું.જેમાં હવે 15 દિવસ બાદ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ગરીબ પરિવારના એક દંપતીને ત્રણ બાળકો છે જેમાં બે દીકરા અને એક દીકરીનો સમાવેશ થાય છે.આ ગરીબ દંપતી દિવસ દરમિયાન મજૂરી કરી ઘર ચલાવતું હતું.જેમાં જિલ્લાના આગળ આગળ વિસ્તારમાં જવાનું થતું હતું.ત્યારે આ દંપતીમાંથી માતાને વાલ્વની બીમારી હોય તેની સારવાર માટે રૂપિયાની જરૂર પડી હતી.તેવા સમયે તેવો મોડાસાના ખંભીસર ગામના માલધારી રાણાભાઇ વાલાભાઇ ભરવાડના સમ્પર્કમાં આવ્યા હતા.જે ઘેટાં બકરા ચરાવીને ખુદ પોતાની રોજગારી મેળવે છે.ત્યારે ગરીબ દંપતીને રૂપિયાની જરૂર હોઈ ત્રણ બાળકોમાંથી મોટા  12 વર્ષના બાળકને માલધારીને ત્યાં મૂકે છે અને સાત હજાર થી 10 હજાર સુધીની રકમ તેવો મેળવે છે..

સમગ્ર મામલે ટાસ્ક ફોર્સના સદસ્યને માહિતી મળે છે અને તેઓ અગમ સંસ્થાના હેતલબેન રાઠોડનો સંપર્ક કરે છે..એક 12 વર્ષના બાળક પાસે બાદ મજૂરી કરાવાઈ રહી છે તેવી વિગતોના આધારે નજર રાખવામાં આવી હતી ત્યારબાદ ગત ચાર માર્ચના રોજ બાળકનું રેસ્ક્યુ ખંભીસર ગામેથી કરવામાં આવ્યું હતું.જેને પહેલા હેતલબેન રાઠોડ દ્વારા જમવા થી લઇ કપડાં સુધીની મદદ અપાઈ હતી.બાળકને અરવલ્લી બાદ સુરક્ષા કચેરી ખાતે રજુ કરી સમગ્ર વિગતો મેળવવામાં આવી હતી જેમાં બાળકને ગીરવે મુકાયી હોવાના પુરાવા પ્રાપ્ત થયા હતા.સંવદેનશીલ કહેવાય તેવી આ ઘટના મામલે જિલ્લા કલેકટર,એસપી સજાગ હતા.ત્યારે ચાઈલ્ડ વેલ્ફેર કમિટી આગળ બાળકના પરિવાર અને ગીરવે લેનાર બંને રજુ કરવામાં આવ્યા હતા અને બાળકને પરિવારને નહિ સોંપવા નિર્ણંય લેવામાં આવ્યો હતો.

અરવલ્લી જિલ્લા કલેકટર અમૃતેશ ઓરંગાબાદકરની અધ્યક્ષતા વાળી બાદ શ્રમિક રેસ્ક્યુ તથા રિહેબિલિટેશન ટાસ્કફોર્સ અને અન્ય સંસ્થાઓ ની  બેઠકો કરવામાં આવી હતી. બાદમાં કલેકટર અને પોલીસ અધિક્ષકની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લાના આસિસ્ટન્ટ લેબર કમિશનર દ્વારા જરૂરી પુરાવા એકઠા કરીને બાળકનું નિવેદન લઈને બાળક ગીરવે લેનાર આરોપી રાણાભાઇ વાલાભાઇ ભરવાડ રહે ખંભીસર સામે 14 વર્ષથી ઓછી ઉમ્મરના બાળક પાસે મજૂરી બાળમજૂરી કરાવતા હોવાનું પ્રસ્થાપિત થતા તેમના વિરુદ્ધ બાળ અને તરુણ શ્રમિક અધિનિયમ,1986 અન્વયે ફોજદારી કાર્યવાહી માટે મોડાસા રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.

સમગ્ર ઘટના મામલે લોકોમાં આક્રોશનો માહોલ હતો કારણે કૈં સાત હજારમાં 12 વર્ષના બાળકને ગીરવે મૂકી દેવાનો નિર્ણંય કરનાર માં-બાપ સામે ફિટકાર જોવા મળતો હતો. ન્યુઝ18 સાથેની વાતચીતમાં માતાએ પોતે બાળકને વેચ્યું નહિ હોવાની બાબતનું સતત રટણ કર્યું હતું.અને ખુદને વાલ્વની બીમારી હોય બાળકને ત્યાં મૂક્યું હતું અને ઉધાર રૂપિયા લીધા હતા.આ નિવેદનના આધારે દંપતિની મજબૂરી છતી થાય છે પણ આ નિર્ણંય આવકારવા લાયક નોતો તે સત્ય છે.ત્યારે માનવીની ભવાઈમાં ભૂખની તડપ સામે આજે આધુનિક યુગમાં સંબંધોની સુકાતી લાગણીઓનો ચિત્કાર અહીં જોવા મળ્યો હતો.

દિલીપ પુરોહિત. બાયડ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.