Western Times News

Gujarati News

અરવલ્લી જિલ્લામાં ખાણ ખનીજ વિભાગનો સપાટો બિનઅધિકૃત ખનિજના કેસોમાાં રૂ.131 લાખ વસુલાયા

અરવલ્લી જિલ્લામાં ખનિજ ચોરીની મળતી ફરિયાદો આધારે રાત્રે અને દિવસે ઓચિંતા ચેકીંગ હાથ ધરી હતી.  અરવલ્લી જિલ્લા ખાણ ખનીજ ખાતાના ભુસ્તરશાસ્ત્રી મન ચૌધરીના માગૅદશૅન હેઠળ જિલ્લાની ટીમ દ્વારા ચાલુ માસમાં ગેરધોરણે ખનિજ  ખનન-વહન-સંગ્રહ બદલ  કુલ 17 કેસો કરી અંદાજે  5 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી કલેક્ટર કચેરીમાાં વાહનોનો ખડક્લો કરી દેવામાં આવ્યો હતો . આ કેસોમાાં રૂ.25 લાખની દંડકીય વસુલાત કરવા નોટીસો પાઠવેલ જે પૈકી રૂ.18 લાખની વસુલાત થયેલ છે.

ચેકીંગની કામગીરીના પરિણામે ચાલુ નાણાંકીય વર્ષ દરમ્યાન ગેરધોરણે ખનિજ  ખનન-વહન-સંગ્રહ બદલ કુલ 100 જેટલા કેસો કરી કુલ રૂ. 131 લાખની દંડકીય રકમની વસુલાત કરવામાાં આવેલ છે અને રૂ.5483 લાખ મહેસુલી આવક થઇ છે.

આગામી સમયમાં પણ સઘન ચેકિંગ હાથ ધરી  ગેરધોરણે  ખનિજ  ખનન-વહન-સંગ્રહમાં સંકળાયેલા ગેરકાયદેસર પ્રવુતિ કરનાર ઇસમો અને મુદ્દામાલ ઝડપી પાડી સખ્ત કાર્યવાહી કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.