Western Times News

Gujarati News

મમતા બેનર્જી પર ભડકાઉ ભાષણ બદલ FIR દાખલ થઇ

કોલકતા: લોકોને કેન્દ્રીય દળોને ઘેરી ઉશ્કેરવાના આરોપસર પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી વિરુદ્ધ કૂચ બિહારનાં એક પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેમની ઉશ્કેરણીને કારણે સીતલકુચી ફાયરિંગની ઘટના બની હતી અને તેમાં ચાર લોકો માર્યા ગયા હતા.

કુચ બિહારમાં ભાજપ લઘુમતી મોરચાનાં જિલ્લા અધ્યક્ષ સિદ્દીકી અલી મિયાએ બુધવારે પોતાની ફરિયાદમાં દાવો કર્યો છે કે, મમતા બેનર્જીએ બનરેશ્વરમાં એક રેલીમાં આપેલા ભાષણનાં લોકોને ચૂંટણીનાં ચોથા તબક્કાનાં સમય દરમિયાન સેન્ટ્રલ ઔદ્યોગિક સુરક્ષા દળ (સીઆઈએસએફ) નાં લોકો સામે હુમલા માટે ઉશ્કેર્યાં હતા.

માથાભાંગા પોલીસ મથકમાં નોંધાયેલી તેમની ફરિયાદની સાથે તેમણે મમતા બેનર્જીનાં ભાષણનો એક વીડિયો ક્લિપ પણ જાેડી દીધી છે. મિયાએ જણાવ્યું હતું કે, મમતા બેનર્જીનાં ઉશ્કેરણીજનક નિવેદનમાં રોષે ભરાયેલા ગ્રામજનોની એફઆઈઆરમાં મિયાએ કહ્યું હતું કે, “મહિલાઓ સહિત ગ્રામજનોએ શારીરિક નુકસાન પહોંચાડવાનાં ઇરાદે કેન્દ્રીય દળો પર હુમલો કર્યો, તે જાણીને કે આ તૈનાત સુરક્ષા કર્મીઓની મૃત્યુનું કારણ પણ બની શકે છે.

જ્યારે ભાજપનાં નેતા મિયાનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે, જાે પોલીસ આગામી કેટલાક દિવસોમાં કોઈ કાર્યવાહી નહીં કરે તો તેઓ મમતા બેનર્જીની ધરપકડની માંગને લઈને ભારે વિરોધ પ્રદર્શન કરશે. તેમણે કહ્યું, “ચાર લોકોનાં મોત માટે ફક્ત મમતા બેનર્જી જ જવાબદાર છે.” તે આપણા જિલ્લાનાં મતદારોને જવાબદેહ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.