Western Times News

Gujarati News

સૌથી સફળ ફાઈઝર કંપનીનો રસીની મંજૂરી મેળવવા પ્રયાસ

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસ વિરુદ્ધ જંગ માટે ભારતને ચોથી વેક્સિન મળી શકે છે. દુનિયાની સૌથી અસરકારક વેક્સિન બનાવનારી કંપની ફાઇઝર ભારતના સંપર્કમાં છે. ભારતમાં પોતાની કોરોના વેક્સિનને મંજૂરી અપાવવા માટે તે હાલ વાતચીત કરી રહી છે. ફાઇઝર અમેરિકી વેક્સિન નિર્માતા કંપની છે જે હવે ભારત આવી શકે છે. ઘણા નિષ્ણાંતોએ આ રસીને કોરોના સંક્રમણ વિરુદ્ધ સૌથી વધુ અસરકારક માની છે. આ રસીએ પોતાની તમામ ટ્રાયલમાં કોરોના સંક્રમણ વિરુદ્ધ ૯૨ ટકાથી ૯૫ ટકા સુધી અસરકારકતા દેખાડી છે. વેક્સિનનું નામ બીએનટી૧૬૨બી૨ છે, જેને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ પણ અસરકારક અને સુરક્ષિત કોરોના વેક્સિનની યાદીમાં સામેલ કરી છે.

ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત થતા લોકોનો ગ્રાફ સતત ઉપર જઈ રહ્યો છે. મોતનો આંકડો પણ વધી રહ્યો છે. સ્થિતિ કાબુ બહાર છે. તેવામાં ભારત સરકાર વેક્સિનેશનને કોરોનાનો સામનો કરવાના સૌથી મોટા ઉપાય તરીકે જાેઈ રહી છે. હાલ ભારતમાં કોવિશીલ્ડ અને કોવેક્સીન ઉપલબ્ધ છે. રશિયાની સ્પૂતનિક વીને ઇમરજન્સી મંજૂરી આપવામાં આવી છે. ૧ મેથી દેશમાં ૧૮ વર્ષથી મોટી ઉંમરના લોકો માટે પણ વેક્સિનેશન શરૂ થઈ ગયું છે.

ભારતમાં આવતા પહેલા ફાઇઝર કંપનીએ એક શરત રાખી દીધી છે. ફાઇઝરે કહ્યું કે, તે પોતાની કોવિડ-૧૯ વેક્સિન માત્ર સરકારી કોન્ટ્રાક્ટ દ્વારા આપશે. તેનો મતલબ છે કે લગભગ આ વેક્સિન દેશની ખાનગી હોસ્પિટલોમાં ન મળે, જ્યાં સુધી સરકાર આ ખાનગી સંસ્થાઓને વેક્સિન ન આપે.

ફાઇઝરનો આ ર્નિણય તેવા સમયે આવ્યો છે, જ્યારે ભારતે પોતાની કોવિડ રસીકરણ રણનીતિમાં એક બાદ એક ફેરફાર કર્યા છે. તેણે કંપનીઓને વિકલ્પ આપ્યો છે કે તે થોડા વધુ ભાવમાં રાજ્યો કે ખાનગી હોસ્પિટલોને વેક્સિન વેચી શકે છે. તેના વિશે ફાઇઝરના એક પ્રવક્તાએ કહ્યું કે, કંપની ભારતમાં જરૂર વેક્સિન ઉપલબ્ધ કરાવશે પરંતુ મહામારીના આ સમયમાં તે સરકારી રસીકરમ કાર્યક્રમોને પ્રાથમિકતા આપશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.