Western Times News

Gujarati News

વેક્સિનનો ફોર્મ્યુલા બીજી કંપનીઓને પણ આપો. : કેજરીવાલ

નવીદિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે જણાવ્યું કે “આખા દેશમાં વેક્સિનઈ અછત વર્તાઇ રહી છે અને આ કારણે અમુક રાજ્યોમાં વેકસીનેશન શરૂ પણ નથી થઈ શક્યું. આજે માત્ર ૨ જ કંપનીઓ વેક્સિન બનાવી રહી છે અને છેલ્લા બે મહિનામાં માત્ર ૬-૭ કરોડ વેક્સિન ડોઝ બની રહ્યા છે, જાે આ રીતે કામ કરીશું તો બે વર્ષ લાગી જશે આખા દેશમાં રસીકરણ કરતાં કરતાં.” અને જાે આવું જ ચાલતું રહ્યું તો ખબર નહીં કોરોનાની કેટલીય લહેરો આવતી રહેશે. કેટલાય લોકોનાં જીવ જશે અને ભારત બરબાદ થશે.

તેમણે જણાવ્યું કે હાલ માત્ર દેશની બે જ કંપનીઓ વેક્સિન બનાવી રહી છે. તો કેન્દ્ર સરકારને હું વિનંતી કરું છું કે તમે આ વેક્સિનનો ફોર્મ્યુલા બીજી કંપનીઓને પણ આપો. આ સંકટ સમયમાં તમારી પાસે હક છે આ પ્રસ્તાવને અમલમાં મુકવાનો. અને આ કરવાથી દેશમાં રસીકરણની પ્રક્રિયા ઘણી ઝડપી થઈ જશે.

કેજરીવાલે પ્રસ્તાવ મૂકતાં કહ્યું કે ભારતમાં જેટલી પણ કંપનીઓ આ વેક્સિન બનાવવા માટે સક્ષમ છે તે બધી જ કંપનીઓમાં આ વેક્સિન બનવી જાેઈએ. આ એક જ યોજનાથી રસીકરણ થઈ શકે છે અને કોઈ પણ ભારતીય વેક્સિનથી વંચિત નહીં રહે. તેમણે કહ્યું કે પહેલી લહેરમાં આપણે સૌ પીપીઁઁઈ કીટ બનાવવામાં લાગી ગયા હતા તે જ રીતે વેક્સિનનું ઉત્પાદન થવું જાેઈએ. સાથે જ તેમણે દિલ્હીની સ્થિતિ વિશે વાત કરી કે દિલ્હીમાં લોકડાઉન સફળ રહ્યું છે અને અમે હવે ઑક્સિજન બેડ પણ વધારી દીધા છે. હવે દિલ્હીમાં આઇસીયુ અને ઑક્સિજન બેડની અછત નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.