Western Times News

Gujarati News

કોરોનાની હાલની સ્થિતિને કારણે મોદી બ્રિટન જશે નહીં

નવીદિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આગામી મહિને જી-૭ સંમેલનમાં ભાગ લેવા માટે બ્રિટન જવાનો પોતાનો પ્રવાસ રદ્દ કરી દીધો છે. વિદેશ મંત્રાલયેવ એક નિવેદન જાહેર કરી કહ્યું- ‘યૂકેના પ્રધાનમંત્રી બોરિસ જાેનસન તરફથી જી-૭ સંમેલનમાં હાજરી આપવા માટે પીએમ મોદીને આપેલા આમંત્રણની પ્રશંસા કરીએ છીએ. પરંતુ કોવિડ-૧૯ની હાલની સ્થિતિને જાેતા તે ર્નિણય લેવામાં આવ્યો છે કે પ્રધાનમંત્રી જી-૭ સંમેલનમાં વ્યક્તિગત રીતે હાજર રહેશે નહીં.’

કોર્નવોલમાં બોરિસ જાેનસનની અધ્યક્ષતામાં આ વર્ષે આયોજીત થવા જઈ રહેલા જી-૭ સંમેલનમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાને વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું હતું. એવુ કહેવામાં આવી રહ્યું હતું કે ક્વાડ નેતાઓ જેમ કે- અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઇડેન, ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસન, જાપાનના પ્રધાનમંત્રી યોશિહિદે સુગા અને પીએમ મોદી વચ્ચે જી-૭ સંમેલનથી ઇતર કોર્નવોલમાં વ્યક્તિગત રીતે બેઠક યોજાશે.

આ પહેલા ચારેય નેતાઓ વચ્ચે ૧૨ માર્ચે વર્ચ્યુઅલ બેઠક થઈ હતી, જે ક્વાડ દેશોના નેતાઓ વચ્ચે પ્રથમ બેઠક હતી. જી-૭માં બ્રિટન, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન અને યૂનાઇટેડ સ્ટેટ્‌સ સામેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.