Western Times News

Gujarati News

અનુપમા જીવનમાં નવી શરૂઆત કરવા જઈ રહી છે

મુંબઈ: અનુપમા ટેલિવિઝનની દુનિયાનો સૌથી લોકપ્રિય શૉ બની ચૂક્યો છે. સીરિયલની શરૂઆતથી જ લોકો તેને ખુબ પસંદ કરી રહ્યા છે. શૉની રસપ્રદ વાર્તા અને તેમાં આવતા નવા નવા ટિ્‌વસ્ટ દર્શકોને આકર્ષે છે. શૉની સ્ટોરીનું મુખ્ય પાત્ર અનુપમા છે, જે રુપાલી ગાંગુલી ભજવે છે. અનુપમા એક મિડલ ક્લાસ મહિલા છે અને પોતાના જીવનમાં તેણે અનેક સંઘર્ષોનો સામનો કરવો પડ્યો છે. શૉની વર્તમાન સ્ટોરી અનુસાર અનુપમા બીમાર છે અને વનરાજને કાવ્યા સાથે લગ્ન કરવાનું કહે છે. પરંતુ વનરાજ ભાવુક થઈ જાય છે અને અનુપમાને છૂટાછેડા આપવાના ર્નિણય પર દુખ વ્યક્ત કરે છે. રુપાલી ગાંગુલી અને સુધાંશુ પાંડેની આ સીરિયલમાં આવનારા એપિસોડમાં એક રસપ્રદ ટિ્‌વસ્ટ જાેવા મળશે.વનરાજ અને અનુપમાના છૂટાછેડા પછી બન્ને એક નવી શરૂઆત કરશે. છૂટાછેડા પછી અનુપમા સાથે એક નવા સંબંધની શરૂઆત કરવાની સલાહ અદ્વેત વનરાજને આપે છે.

લાગી રહ્યું છે કે વનરાજ અદ્વૈતની આ સલાહનું પાલન કરશે. રિપોર્ટ્‌સ અનુસાર, અનુપમા અને વનરાજને એક સાથે લાવવામાં અદ્વૈતની મહત્વની ભૂમિકા હશે. પરંતુ કાવ્યા આ બધું જાેઈને શું પ્રતિક્રિયા આપશે તે એક પ્રશ્ન છે. દર્શકોને કાવ્યાની પ્રતિક્રિયા જાેવામાં ઘણો રસ છે. આ સિવાય અદ્વૈત અને શાહ પરિવાર વચ્ચે એક કનેક્શન છે જેના કારણે સ્ટોરીમાં અન્ય એક વળાંક આવશે. અનુપમાના આવનારા એપિસોડમાં આ સીક્રેટનો પણ ખુલાસો થઈ શકે છે. છૂટાછેડા પછી અનુપમા મંગળસૂત્ર પણ વનરાજને પાછું આપે છે

હવે અનુપમા પોતાની જાતને શોધવાનો પ્રયાસ કરશે. આ વખતે તેને પરિવાર તરફથી પણ સમર્થન મળશે. રિપોર્ટ્‌સ અનુસાર અનુપમાનું મેકઓવર થશે અને તે પૈસા કમાવવા માટે બહાર પણ જશે. સમર અને કિંજલ પણ તેને આર્ત્મનિભર બનવામાં મદદ કરશે. આ દરમિયાન વનરાજે કાવ્યા સાથે સંબંધ તોડી કાઢ્યો છે, તેના કારણે તે આત્મહત્યાનો પ્રયાસ કરશે. પરંતુ શું આ ડ્રામા પછી વનરાજ તેની સાથે લગ્ન કરશે? શું વનરાજ અને અનુપમાના ફરીથી લગ્ન થશે? અથવા તો અનુપમાના જીવનમાં અન્ય કોઈ વ્યક્તિની એન્ટ્રી થશે? આગળ હવે શું થશે તે જાણવું ઘણું રસપ્રદ હશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.