Western Times News

Gujarati News

શંકરસિંહ અને ભરતસિંહ સોલંકીની બંધ બારણે બેઠક

ગાંધીનગર, ગુજરાતમાં આગામી વિધાનસભા પહેલા અત્યારથી જ રાજકારણ ગરમાયું છે. ભાજપ અને કાૅંગ્રેસ દ્વારા વિધાનસભાની ચૂંટણી માટે રણનીતિ તૈયાર થઇ રહી છે. ત્યારે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાની કાૅંગ્રેસમાં ફરીથી ઘરવાપસી થવાના ભણકારા વાગી રહ્યાં છે.

બાપુ કાૅંગ્રેસનાં નેતા ભરતસિંહ સોલંકી સાથે બંધ બારણે બેઠક કરી રહ્યાં છે. જાેકે, બાપુ કાૅંગ્રેસમાં જાેડાશે કે નહીં તે અંગેનો આખરી ર્નિણય તો દિલ્હીમાં બેઠેલા હાઇકમાન્ડ જ કરશે. બાપુ તરીકે ઓળખાતા શંકરસિંહ વાઘેલા ફરી એકવાર કાૅંગ્રેસમાં જાેડાય તેના ભણકારા વાગી રહ્યાં છે.

બુધવારે શંકરસિંહ વાઘેલાએ ગુજરાત કાૅંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી સાથે મુલાકાત કરી હતી. જે બાદ બાપુ કાૅંગ્રેસમાં જાેડાવવા તત્પર છે તે અંગેની અટકળો તેજ બની છે. આ પહેલા પણ બાપુ જ્યારે ખેડૂત આંદોલનના સમર્થનમાં દિલ્હી ગયા હતા ત્યારે બંધ બારણે કાૅંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી સાથે તેમની મુલાકાત થઈ હોવાની માહિતી સામે આવી હતી. બાપુ ભરતસિંહનાં પિતા માધવસિંહને શ્રદ્ધાંજલિ આપવા ગયા હતા.

જે બાદ ત્રણવાર બાપુની ભરતસિંહ સાથે મુલાકાત થઈ ચૂકી છે. રાજીવ સાતવના નિધન બાદ ગુજરાત કાૅંગ્રેસના પ્રભારીની નિયુક્તિ બાકી છે આ સાથે અહમદ પટેલના નિધનથી રાજકીય ક્ષેત્રે એક સ્ટ્રેટેજિક શૂન્યવકાશ જરૂરથી પડ્યો છે. ત્યારે બાપુને આમાંથી એકાદ રોલ મળી શકે તેમ પણ માનવામાં આવી રહ્યું છે.

બાપુને કાૅંગ્રેસમાં લાવવા અંગે પ્રદેશ કાૅંગ્રેસનું એક મોટું જુથ સક્રિય છે. જાેકે, આ અંગેનો ર્નિણય દિલ્હીમાં બેઠેલા હાઇકમાન્ડ જ કરશે. જાેકે, ચર્ચા તો એવી પણ થઇ રહી છે કે, કાૅંગ્રેસને તોડનારા શંકરસિંહ બાપુને ફરીથી હાઇકમાન્ડ પાર્ટીમાં સ્થાન નહીં આપે. નોંધનીય છે કે, આરએસએસમાંથી આવેલા અને ભાજપ તથા કાૅંગ્રેસનાં નેતા રહી ચૂકેલા શંકરસિંહ વાઘેલાએ પહેલા બળવો કરીને ભાજપ છોડ્યું હતુ.

બાપુએ ત્યારબાદ પોતાનો પક્ષ રાજપા બનાવ્યો હતો. જાેક, રાજપામાં કાંઇ વધારે તક ન મળતા બાપુ ૧૯૯૯માં કાૅંગ્રેસમાં જાેડાયા હતા. જે બાદ તેમણે શક્તિદળ બનાવ્યુ હતુ. જે બાદ ફરીથી બાપુ કાૅંગ્રેસની ટિકિટ પર લોકસભા બેઠક પર ચૂંટણી જીત્યા હતા. કેંદ્રમાં યુપીએ વનની સરકારમાં કપડા મંત્રી રહ્યા હતા.

શંકરસિંહ વાઘેલા ગુજરાત વિધાનસભામાં ૨૦૧૨થી ૨૦૧૭ સુધી વિપક્ષ નેતા પણ રહી ચૂક્યા છે. જે બાદ રાજ્ય સભાની ચૂંટણી સમયે ભાજપના બળવંતસિંહને સમર્થન આપીને બાપુએ કાૅંગ્રેસને તોડી હતી. ત્યારે હવે ફરીથી બાપુ કાૅંગ્રેસમાં જાેડાવવા માટે તત્પર બન્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.