ઝઘડિયા તાલુકાના નાની ઈન્દોર ગામનો સગીરાને ભગાડી જનાર વિધર્મી યુવક ઝડપાયો
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ઝઘડિયા તાલુકાના નાની ઈન્દોર ગામનો મુબારક ઈસ્માઈલ દિવાન નામનો યુવક ગામની એક સગીર હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી.ગત. ૨૫.૬.૨૧ના રોજ ૧૪ વર્ષીય હિન્દુ સગીર યુવતીને પટાવી-ફોસલાવી સગીરાના વાલીઓના વાલીપણા માંથી લગ્ન કરવાના ઈરાદે ઘરેથી લઈ નાસી ગયેલ હતો.સગીરાના પરિવારજનોએ આજુબાજુમાં,ગામમાં તથા સગાવહાલાના ધરે સગીરાની તથા વિધર્મી યુવક મુબારકની શોધખોળ કરી હતી.પરંતુ તે નહીં મળી આવી હતી.
પરિવારજનોએ પોલીસ મથકમાં મુબારક ઈસ્માઈલ દિવાન રહેવાસી નાની ઈન્દોર નાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.સગીરાને ભગાડી ગયાના સાત-આઠ દિવસ બાદ પણ સગીરાની કોઈ ભાળ નહીં મળતા સગીરાના પરિવારજનો તથા સમાજના આગેવાનો દ્વારા પોલીસ મથકે ઉગ્ર રજૂઆતો કરી તાત્કાલિક વિધર્મી યુવકની ધરપકડ કરવાની અને સગીરાને તેના પરિવારને સોંપવાની રજૂઆત કરી હતી.
પોલીસ મથક દ્વારા સધન તપાસ હાથ ધરતા પોલીસને બાતમી મળી હતી કે સગીરાને ભગાડી જનાર આરોપી મુબારક ઈસ્માઈલ દિવાન નાઓ ભોગ બનનાર સગીરા સાથે વડોદરા ગ્રામ્ય વિસ્તારના સિસવા ગામે છે.પોલીસ ટીમ દ્વારા સિસવા ગામે જઈ તપાસ કરતાં મુબારક ઈસ્માઈલ દિવાન ગામના બસ સ્ટેન્ડ પાસે ઉભેલો હતો જેથી તેને કોર્ડન કરી ધરપકડ કરી ભોગ બનનાર સગીરાને હસ્તગત કરી કાર્યવાહી હાથધરી છે.
પોલીસે યુવાન વિરુદ્ધ ફરિયાદ દાખલ કર્યા બાદ તેની ધરપકડ કરી હાલમાં તેની સઘન પૂછપરછ થઈ રહી છે. જાે યુવક દ્વારા સગીરાનું ધર્માંતર કરાવ્યું હશે તો લવ જેહાદના કાયદા હેઠળ મુસ્લિમ યુવક મુબારક દિવાન વિરુદ્ધ ગુનો દાખલ કરાશે અને જાે સાથે આ મામલામાં કોઈ સંડોવાયેલું હશે તો તેમની વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ શકે છે !